શામલી: ઉત્તર પ્રદેશના કૈરાના વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય નાહિદ હસને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નાહિદ હસને અપીલ કરી છે કે ભારતીય જનતા પાર્ટીનું સમર્થન કરનારા દુકાનદારો પાસેથી સામાન ખરીદો નહીં. તેમના આ નિવેદનનો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નાહિદ હસન પોતાના વિધાનસભા વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોને ભાજપના દુકાનદારો પાસેથી સામાન ન ખરીદવાની અપીલ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે અમે સામાન ખરીદીએ છે તો ભાજપના લોકોની દુકાન ચાલે છે અને તેમનું ઘર ચાલે છે, આથી તમામ ભાઈઓને અપીલ કરું છું કે ભાજપ સમર્થિત દુકાનદારો પાસેથી સામાન ખરીદવાનું બંધ કરે.
જુઓ VIDEO...
વાઈરલ વીડિયોમાં મુસ્લિમ સમુદાયના લોકોને ભાજપ સંબંધિત દુકાનદારો પાસેથી સામાન લેવાનું બંધ કરવાની વાત કરી રહ્યાં છે.
તબરેઝ યાદ છે, પરંતુ સેકડો હિન્દુઓ માર્યા ગયા તે યાદ નથી: સાક્ષી મહારાજ
આ બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજે એકવાર ફરીથી મોબ લિંચિંગમાં માર્યા ગયેલા તબરેઝ અંસારીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ મીડિયા માટે તો ખુબ દુર્ભાગ્ય છે, જ્યાં તબરેઝ અંસારી તો યાદ આવે છે પરંતુ સેંકડો હિન્દુઓ માર્યા ગયા તે યાદ આવતું નથી.
જુઓ LIVE TV
સાક્ષી મહારાજ ઉન્નાવ જનપદના એક ગેસ્ટ હાઉસમાં આયોજિત ભાજપના સદસ્યતા અભિયાન હેઠળ એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે કાશ્મીરમાં સૈનિકો સાથે શું થઈ રહ્યું છે તે તમને યાદ આવતું નથી. ચાંદની ચોકમાં મંદિર તોડી નખાયું, તે પણ તમને દેખાતુ નથી. નાની છોકરીઓ સાથે બળાત્કાર થઈ રહ્યો છે તે પણ તમને દેખાતો નથી. તમે ફક્ત તબરેઝ અંસારીની વાત કરી રહ્યાં છો. જ્યારે સેંકડો હિન્દુઓ માર્યા ગયા તે કોઈને યાદ નથી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે