શ્રીનગર : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પ્રચારમાં લાગેલા નેતા નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપનાં ચૂંટણી ઢંઢેરા પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપે પોતાનાં સંકલ્પ પત્રમાં જમ્મુ કાશ્મીરની કલમ 370ને રદ્દ કરવાની વાત કરી છે. તેઓ 370 રદ્દ કરશે તો તેઓ વિલય કઇ તરફ રહેશા ?
#WATCH F Abdullah: Bahar se laenge, basaenge,hum sote rahenge?Hum iska muqabala karenge,370 ko kaise khatam karoge?Allah ki kasam kehta hun,Allah ko yahi manzoor hoga,hum inse azad ho jayen.Karen hum bhi dekhte hain.Dekhta hun phir kon inka jhanda khada karne ke liye taiyar hoga. pic.twitter.com/hrxoh9ECOY
— ANI (@ANI) April 8, 2019
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ શું તેમને મિટાવવા ઇચ્છે છે. એવુ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારુ પત્તુ સાફ કરી નાખશે. અમે શું ઉંઘતા રહીશું ? અમે તેની સામે લડીશું. તેની વિરુદ્ધ ઉભા થઇ જાઓ. 370ને રદ્દ કરશો તો ઇલહાક (વિલય) ક્યાં રહી જશે. અલ્લાહ ની કસમ જો અલ્લાહને એ જ મંજુર હશે તો અમે તેમનાથી આઝાદ થઇ જઇશું. તેઓ 370ને રદ્દ કરે હું પણ જોઇ છું કે કોણ અહીં તેમનો ઝંડો ફરકાવવા માટે અહીં રહેશે. એવી વસ્તુઓ ના કરે કે જેનાંથી અમારુ હૃદય તોડવાનાં પ્રયાસો કરી રહ્યા હો.
જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC) ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરનાં ડાઉન ટાઉન વિસ્તારમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજ્યપાલ પર પણ નિશાન સાધ્યું હતું. ફારુકે રાજ્યપાલને હાઇવે પર પ્રતિબંધ લગાવવા અંગે નિશાન સાધ્યું હતું તેમણે કહ્યું કે, તેમણે માત્ર 45 વાહનો માટે અમારા હાઇવે બંધ કરી દીધા છે. મને લાગે છે કે રાજ્યપાલ પોતે કાંઇ જ નથી વિચારતા, તેઓ દિલ્હીનાં આદેશ અનુસાર ચાલી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન
મીરવાઇઝને એનઆઇએ હેડક્વાર્ટર દિલ્હી બોલાવવા અંગે ફારુકે કહ્યું કે, આજે મીરવાઇઝને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો, શું તેની તપાસ અહીં થઇ શકે તેમ નહોતી. શું તમે અમને દબાવવા માટે તમારી શક્તિ દેખાડવા માંગો છો. પરંતુ અમે ડરતા નથી, જો તેમને લાગે છે કે અમને દબાવી દેશો તો આ માત્ર તમારુ સપનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે