દેહરાદુન: ઉતરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રિપોર્ટ બાદ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત સહિત તેમનું સમગ્ર કેબિનેટ હોમ ક્વોરન્ટાઇન થઇ ગયું છે. કારણ કે એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા.
પાક. હાઇકમીશનનાં 3 લોકોની જાસુસીનાં આરોપમાં ઝડપાયા, 24 કલાકમાં દેશ છોડવા આદેશ
કેબિનેટ મંત્રી સતપાલ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા જ તેમની પત્ની અને પૂર્વ મંત્રી અમૃતા રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સતપાલ મહારાજનાં ઘરે કામ કરનારા 17 લોકોનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ સતપાલ મહારાજ કેબિનેટ બેઠકમાં જોયા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે