મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું કહેવું છે કે જો વીર સાવરકર આ દેશના વડાપ્રધાન હોતા તો પાકિસ્તાનનો જન્મ પણ ના થયો હતો. તેમણે વીર સાવરકર માટે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નની પણ માગ કરી અને કહ્યું કે, આપણી સરકાર હિન્દુત્વની સરકરા છે.
આ પણ વાંચો:- મેક ઈન ઈન્ડિયાઃ દુનિયાભરમાં ભારતમાં બનેલા બુલેટપ્રૂફ જેકેટની જબરદસ્ત માગ
ઠાકરેએ એક આત્મકથા ‘સાવરકર: ઈકોઝ ફ્રોર્મ અ ફોરગાટેન પાસ્ટ’ના વિમોચન સમય પર આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવા જોઇએ. અમે ગાંધી અને નહેરૂ દ્વારા કરવામાં આવેલા કામથી ઇન્કાર નથી કરતા, પરંતુ દેશે બે કરતા વધુ પરિવારોને રાજકીય દ્રશ્ય પર ઉતરતા જોવા મળ્યા.
આ પણ વાંચો:- મહારાષ્ટ્ર ચૂંટણીઃ સીટની વહેંચણીના મુદ્દે ગઠબંધન લટક્યું, શિવસેનાએ માગી આટલી સીટ
ઠાકરેએ તેમના ભાષણમાં કહ્યું, ‘તેમને નહેરૂને વીર કહેવામાં કોઇ વાંધો ન હોત જો તે 14 મિનિટ સુધી જેલમાં સાવરકર જેમ રહ્યા હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતા.’
Shiv Sena Chief Uddhav Thackeray in Mumbai: If Veer Savarkar would have been the Prime Minister of this country then Pakistan would not have even born. Our government is Hindutva govt & today also I demand Bharat Ratna for Veer Savarkar. pic.twitter.com/sRkfnt58IH
— ANI (@ANI) September 17, 2019
આ પણ વાંચો:- ઈડીએ મોઈન કુરેશીની 9.35 કરોડની દિલ્હી, રાજસ્થાન સહિતની સંપત્તિ ટાંચમાં લીધી
તે દરમિયાન શિવસેના પ્રમુખે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ગાંધીને નવી બુક વાંચવી જોઇએ અને સાવરકરના કામો વિશે વધારે જાણવું જોઇએ. તમને જણાવી દઇએ કે, 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, વીર સાવરકરે જેલથી આઝાદી મેળવવા માટે અંગ્રેજોથી માફી માગી હતી. માનવામાં આવી રહ્યું છે કે, વીર સાવરકરે ‘હિન્દુત્વ’ શબ્દને લોકપ્રિય બનાવ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે