Home> India
Advertisement
Prev
Next

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રીરામના નારા, જાણો નિયમોમાં શું થશે ફેરફાર!

ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. આ સાથે જ યુસીસી લાગૂ કરનારું ઉત્તરાખંડ આઝાદી બાદનું પહેલવહેલું રાજ્ય બનશે. સૂત્રોના જણાવ્યાંમુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ છે. જેનો હેતુ પરંપરાગત રિતી રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓ દૂર કરવાનો છે. 

ઉત્તરાખંડ વિધાનસભામાં UCC બિલ રજૂ, લાગ્યા જય શ્રીરામના નારા, જાણો નિયમોમાં શું થશે ફેરફાર!

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આજે યુનિફોર્મ સિવિલ કોડને વિધાનસભા સદનમાં રજૂ કરી દીધુ છે. બિલ પર ચર્ચાની માંગણીને લઈને વિધાનસભામાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષના હંગામા વચ્ચે સદનની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. ઉત્તરાખંડ વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ કાયદો બની જશે. આ સાથે જ યુસીસી લાગૂ કરનારું ઉત્તરાખંડ આઝાદી બાદનું પહેલવહેલું રાજ્ય બનશે. સૂત્રોના જણાવ્યાંમુજબ ડ્રાફ્ટમાં 400થી વધુ કલમો સામેલ છે. જેનો હેતુ પરંપરાગત રિતી રિવાજોથી ઉત્પન્ન થતી વિસંગતિઓ દૂર કરવાનો છે. 

બદલાશે અનેક નિયમો!
- સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગૂ થયા બાદ બહુવિવાહ પ્રથા પર રોક લાગશે અને બહુવિવાહ સંપૂર્ણ રીતે દૂર થશે. 
- છોકરીઓની કાનૂની રીતે લગ્નની ઉંમર 21 વર્ષ થઈ શકે છે. 
- લિવ ઈન રિલેશનશીપમાં રહેતા લોકો માટે પોલીસમાં રજિસ્ટ્રેશન જરૂરી બનશે. 
- લિવ ઈન રિલેશનશીપમાં રહેતા લોકોએ પોતાની જાણકારી ફરજિયાત પણે આપવી પડશે અને આવા સંબંધોમાં રહેતા લોકોએ માતા પિતાને જાણકારી આપવાની રહેશે. 
- વિવાહ રજિસ્ટ્રેશન ન કરાવવા બદલ કોઈ પણ સરકારી સુવિધાથી વંચિત થવું પડી શકે છે. 
- મુસ્લિમ મહિલાઓને પણ દત્તક લેવાનો અધિકાર રહેશે અને દત્તક લેવાની પ્રક્રિયા સરળ હશે. 
- પતિ અને પત્ની બંનેને ડિવોર્સની પ્રક્રિયાઓ સુધી સમાન પહોંચ મળશે. 
- નોકરીયાત પુત્રના મૃત્યુની સ્થિતિમાં વૃદ્ધ માતા પિતાના ભરણપોષણની જવાબદારી પત્ની પર રહેશે અને તેને વળતર મળશે. 
- પતિના મૃત્યુની સ્થિતિમાં જો પત્ની ફરી લગ્ન કરે તો તેને મળેલું વળતર માતા પિતા સાથે શેર કરવામાં આવશે. 
- અનાથ બાળકો માટે સંરક્ષકતાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. 
- પતિ પત્ની વચ્ચે વિવાદના મામલાઓમાં બાળકોની કસ્ટડી તેમના દાદા દાદીને મળી શકે. 

માર્ચ 2022માં સરકારની રચના બાદ મંત્રીમંડળની પહેલી બેઠકમાં જ યુસીસીના ડ્રાફ્ટને તૈયાર કરવા માટે વિશેષજ્ઞની સમિતિની રચનાને મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ હતી. અત્રે જણાવવાનું કે ગોવામાં પોર્ટુગીઝ શાસન સમયથી જ યુસીસી લાગૂ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More