Home> India
Advertisement
Prev
Next

ટ્રિપલ તલાકઃ પીએમ મોદીની ટ્વીટ - 'આજે ભારત માટે ખુશીનો દિવસ છે'

પીએમ મોદીએ જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."

ટ્રિપલ તલાકઃ પીએમ મોદીની ટ્વીટ - 'આજે ભારત માટે ખુશીનો દિવસ છે'

નવી દિલ્હીઃ મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને આપવામાં આવતા છૂટાછેડાને અપરાધ ઠેરવનારું બિલ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ભારત માટે ખુશીનો દિવસ છે." રાજ્યસભામાં બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે."

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."

સરકારે રચ્યો ઈતિહાસ, ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પસાર 

રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પસાર થતાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, "આ ઐતિહાસિક દિવસ છે. બંને ગૃહે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે. આ બદલતા ભારતની શરૂઆત છે."

આ એક ઐતિહાસિક ભૂલઃ કોંગ્રેસ
કોંગ્રેસના નેતા રાજ બબ્બરે જણાવ્યું કે, "મારું માનવું છે કે, આ દેશના અંદર કોઈ પણ પારિવારિક કાયદા અંગે આ બહુ મોટો ઝટકો છે. એક નાગરિક કાયદાને અપરાધિક કાયદો બનાવી દેવાયો છે. આ એક ઐતિહાસિક ભૂલ છે."

'ટ્રિપલ તલાક' બિલ રાજ્યસભામાં પસાર, જાણો હવે ત્રણ તલાક આપ્યા તો શું થશે સજા? 

ઉલ્લેખનીય છે કે, ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે. મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં સૌથી પહેલા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેની તરફેણમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા હતા. ત્યાર પછી ટ્રિપલ તલાક બિલને પસાર કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આમ, બહુમત સાથે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. 

શું તમે દુનિયાની સૌથી મોંઘી ચા અને તેની કિંમત વિશે જાણો છો? કરો ક્લિક.....

જાણો શું છે ટ્રિપલ તલાક બિલની જોગવાઈઓ....

  • દેશમાં હવે ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને પત્નીને છુટાછેડા આપવા એક અપરાધ ગણાશે. 
  • ત્રણ વખત 'તલાક' બોલીને પત્નીને છૂટાછેડા આપનાર પતિને મહત્તમ 3 વર્ષની સજા થઈ શકે છે.
  • પીડીતા કે તેના સંબંધીઓ હવા તલાક બાબતે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી શકે છે. 
  • હવે જો કોઈ પણ મુસ્લિમ પતિ તેની પત્નીને ત્રણ વખત 'તલાક' બોલીને છૂટાછેડા આપશે તો તે ગેર-કાયદે ગણાશે. એટલે કે, તેણે આપેલા તલાક માન્ય રહેશે નહીં. 
  • કોઈ પણ સ્વરૂપમાં આપેલી ત્રણ તલાક ગેર-કાયદે ગણાશે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More