Home> India
Advertisement
Prev
Next

ભારતનું એક અનોખું ગામ, જ્યાં દરેક માણસ છે રસોઈયો : નાનપણથી જ શીખે છે રસોઈ બનાવવાની કળા!

શું તમે એવા ગામ વિશે વિચારી શકો છો જ્યાં દરેક વ્યક્તિ વ્યાવસાયિક રસોઈયા હોય? પરંતુ આ વાસ્તવિકતા છે. તમિલનાડુના રામનાથપુરમ જિલ્લાના કલયૂર ગામમાં દરેક વ્યક્તિ સરોઈયો છે. 
 

ભારતનું એક અનોખું ગામ, જ્યાં દરેક માણસ છે રસોઈયો :  નાનપણથી જ શીખે છે રસોઈ બનાવવાની કળા!

નવી દિલ્હીઃ તમિલનાડુના રામનાથપુરમ (Ramanathapuram, Tamil Nadu) જિલ્લામાં એક ગામ છે, જેનું નામ છે રસોઈયાઓનું ગામ કલાયુર (Kalayur village of cooks). આ ગામમાં પ્રવેશતાંની સાથે જ તમને ખાદ્યપદાર્થો અને તેમાં ઉમેરાયેલા મસાલાની ખુશ્બુ તમને દૂરથી આવવા લાગશે. આ ગામ રસોઈયાઓનું ગામ કહેવાય છે.

રસોઈ એ એક કળા છે. દરેક વ્યક્તિ આ કળા શીખી શકતી નથી. આ કારણોસર, કોઈ આખી જીંદગી રાંધે છે, છતાં સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકતું નથી, અને કોઈના હાથ પર  માતા અન્નપૂર્ણા થોડા દિવસોમાં બેસી જાય છે. ભારતમાં એક એવું ગામ છે જ્યાં સેંકડો લોકો આ કળા શીખે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આ ગામમાં રહેતો દરેક માણસ (Tamil Nadu village of cooks) તમિલનાડુ રસોઈ બનાવવાની કળા જાણે છે. આ કારણે તેને રસોઈયાઓનું ગામ કહેવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તમિલનાડુના રામનાથપુરમ (Ramanathapuram, Tamil Nadu) જિલ્લામાં એક ગામ છે, જેનું નામ રસોઈયાઓનું ગામ કલયુર (Kalayur village of cooks) છે. દક્ષિણ ભારતમાં એ બહુ સામાન્ય છે કે કલાયુર ગામ ખાવાની બાબતમાં સ્વર્ગ જેવું છે. લોકોને અહીંના ભોજનનો સ્વાદ ખૂબ જ ગમે છે.

આ પણ વાંચોઃ ફરવા માટે આ દેશો છે ભારતીયોના સૌથી ફેવરિટ, આટલા રૂપિયાનું બજેટ હશે તો 'ભયો ભયો'

દરેક ઘરમાં છે રસોઈયા 
કલાયુરની ખાસિયત એ છે કે અહીંના દરેક ઘરમાં રસોઈયા હોય છે. એટલું જ નહીં, કલાયુર ભારતના 200 શ્રેષ્ઠ પુરૂષ (best male cooks in India) રસોઈયાઓનું ઘર પણ છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ગામ રસોઈયાઓનું ગઢ કેવી રીતે બન્યું? લગભગ 500 વર્ષ પહેલા ત્યાં રેડ્ડિયાર નામની એક જ્ઞાતિ રહેતી હતી, જે દરજ્જામાં ઉચ્ચ માનવામાં આવતી હતી. તેઓ મોટાભાગના વેપારી હતા. તેમણે વાણીયાર લોકોને રસોઈની જવાબદારી સોંપી, જેઓ નીચલી આદિજાતિ છે. આ લોકો રસોઈ બનાવવામાં ખૂબ જ કુશળ હતા કારણ કે તેઓને ઘણી ગુપ્ત વાનગીઓનું જ્ઞાન હતું જેના કારણે તેઓ બ્રાહ્મણ લોકો કરતાં રસોઈમાં વધુ સારા હતા.

આ રીતે આ પરંપરા શરૂ થઈ
તે જમાનામાં ખેતી એ નફાકારક વ્યવસાય ન હતો, તેથી લોકોએ રસોઈ બનાવવાનો શોખ વિકસાવવાનું શરૂ કર્યું, જેથી તેઓ નોકરી મેળવી શકે. આ પરંપરા અહીંથી શરૂ થઈ હતી. આજકાલ, કલાયુરના શેફ લગભગ 6 મહિના માટે દક્ષિણ ભારતમાં પ્રવાસ કરે છે અને જુદા જુદા મેળાઓ અથવા ફંક્શનમાં રસોઈ બનાવીને લોકોના દિલ જીતી લે છે. આ સિવાય તે લગ્ન અને જન્મદિવસ પર પણ ભોજન બનાવે છે. એવું માનવામાં આવે છે કે જો તેમને તમામ જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે તો તેઓ માત્ર 3 કલાકમાં હજારો લોકો માટે ભોજન તૈયાર કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More