Home> India
Advertisement
Prev
Next

Teacher's Day 2021: શિક્ષક દિવસ પર ભારતના આ 5 સર્વકાલીન મહાન શિક્ષકો વિશે જાણો

શિક્ષકો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણકે તેઓ આપણને પુસ્તકો અને તેમના અનુભવો દ્વારા શીખવે છે. તેઓ અમને માત્ર વ્યવસાયિક રીતે જ નહીં પણ વ્યક્તિગત રીતે પણ માર્ગદર્શન આપે છે. જ્યારે પણ આપણે શીખવાની વાત પર વિચાર કરીએ ત્યારે આપણને ભારતનાં કેટલાક મહાન શિક્ષકો યાદ આવી જાય છે. આ 59માં શિક્ષક દિવસ પર ભારતના કેટલાક મહાન શિક્ષકો પર એક નજર કરીએ છીએ.
 

Teacher's Day 2021: શિક્ષક દિવસ પર ભારતના આ 5 સર્વકાલીન મહાન શિક્ષકો વિશે જાણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ શિક્ષકો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણકે તેઓ આપણને પુસ્તકો અને તેમના અનુભવો દ્વારા શીખવે છે. તેઓ અમને માત્ર વ્યવસાયિક રીતે જ નહીં પણ વ્યક્તિગત રીતે પણ માર્ગદર્શન આપે છે. જ્યારે પણ આપણે શીખવાની વાત પર વિચાર કરીએ ત્યારે આપણને ભારતનાં કેટલાક મહાન શિક્ષકો યાદ આવી જાય છે. આ 59માં શિક્ષક દિવસ પર ભારતના કેટલાક મહાન શિક્ષકો પર એક નજર કરીએ છીએ.

fallbacks

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન:
સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ થયો હતો. તેમના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. રાજકારણમાં આવતા પહેલા, તેમણે મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી.

fallbacks

સાવિત્રીબાઈ ફુલે:
સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ 3 જાન્યુઆરી, 1831નાં રોજ થયો હતો. તેઓ એક ભારતીય સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને કવિયત્રી હતા. તેઓ સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા શિક્ષિકા હતા. તેમણે પતિ સાથે મળીને ભારતમાં મહિલાઓના અધિકારોમાં સુધારો લાવવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ભારતીય નારીવાદની જનની પણ માનવામાં આવે છે.

fallbacks

રવિન્દ્રનાથ ટાગોર:
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે, 1861નાં રોજ થયો હતો. તેઓ બંગાળી કવિ, લેખક, સંગીતકાર, ફિલસોફર અને ચિત્રકાર હતા. તેમણે એક શાળાની સ્થાપના કરી. આ શાળાએ ભારત અને વિશ્વ વચ્ચે 'કનેક્ટિંગ થ્રેડ' તરીકે કામ કર્યુ. રવિન્દ્રનાથ ટાગોરે તૈયાર કરાવેલી શાળામાં 'ગુરુકુલ'ની કલ્પના જીવંત  થઈ હતી.

fallbacks

સ્વામી દયાનંદ સરસ્વતી:
સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ 12 ફેબ્રુઆરી, 1824નાં રોજ થયો હતો. તેઓ ભારતીય ફિલસોફર સામાજિક નેતા અને આર્ય સમાજના સ્થાપક હતા. 1876​​માં, તેમણે 'ઈન્ડિયા ફોર ઈન્ડિયન્સ'નું આહ્વાન કર્યુ હતુ. આ મોરચાને પાછળથી લોકમાન્ય તિલકે સંભાળ્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ મહિલાઓના સમાન અધિકારોને પ્રોત્સાહન આપવાની દિશામાં પણ કામ કર્યું.

fallbacks

ડૉ. અબ્દુલ કલામ:
ડૉ. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931નાં રોજ થયો હતો. તેમનું પૂરું નામ અબુલ પાકિર જૈનુલઅબ્દીન અબ્દુલ કલામ હતું. તેઓ ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા. 2002થી 2007 સુધી, તેમણે ભારતના 11માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમણે વિવિધ કોલેજો જેમ કે IIT, IIM, BHUમાં શિક્ષક તરીકે સેવા આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More