મુંબઈ: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં સતત રાજકારણ ખેલાઈ રહ્યું છે. હવે શિવસેના નેતા પ્રતાપ સરનાઈ(Pratap Sarnaik)એ અભિનેતાના પરિવાર પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સુશાંતના પરિવાર દ્વારા પ્રોપર્ટી હડપવા માટે સુશાંતને ડ્રગ અપાતું હતું.
રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની કસ્ટડી 20 ઓક્ટોબર સુધી લંબાઈ
પ્રતાપ સરનાઈકે આરોપ લગાવ્યો છે કે સુશાંતની બહેન અને પરિવારના કેટલાક સભ્યોએ દિલ્હીના એક ડોક્ટર દ્વારા ફેક પ્રિસ્ક્રિપ્શન બનાવડાવી હતી. તેમણે કહ્યું કે સુશાંતને બોગસ દવાઓ અને ડ્રગ્સ આપવામાં આવતા હતા. તેના પરિવારના સભ્યો સુશાંતની પ્રોપર્ટી હડપવા માટે આમ કરતા હતા.
મુંબઈ પોલીસ કમિશનર પાસે કરી આ માગણી
આ સાથે જ શિવસેના નેતાએ મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ પાસે આ અંગે તપાસની માગણી કરી છે. તેમણે પોલીસ કમિશનરને કહ્યું કે પ્રોપર્ટી માટે ડ્રગ્સ આપતા હોવા મામલે તપાસ કરો, જેથી કરીને સુશાંત સિંહ રાજપૂતના મોતનું સત્ય સામે આવે.
'સામના'માં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્રના 'લીરેલીરા', શિવસેનાએ લગાવ્યા અનેક ગંભીર આરોપ
શિવસેનાએ સુશાંતના ચરિત્રનું કર્યું હતું હરણ
હાલમાં જ શિવસેનાએ સુશાંત સિંહ રાજપૂતના ચરિત્ર પર નિશાન સાધ્યું હતું. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સુશાંત સિંહ રાજપૂતના ચરિત્ર પર નિશાન સાધતા અનેક વાતો કરી. સુશાંતને માદક પદાર્થોનું સેવન કરનાર, અને ચરિત્રહીન વ્યક્તિ ગણાવ્યો. સામનાએ AIIMSના રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે સુશાંત સિંહ નિષ્ફળતા અને નિરાશાથી ગ્રસ્ત હતો, જીવનમાં અસફળતાઓને તે પોતે સંભાળી શક્યો નહીં, આ જ કશ્મકશમાં તેણે માદક પદાર્થોનું સેવન શરૂ કરી દીધુ અને એક દિવસ ગળે ફાંસો ખાઈને જીવનલીલા સમાપ્ત કરી દીધી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે