Home> India
Advertisement
Prev
Next

Surya Rashi Parivartan 2022: 16 નવેમ્બરે ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

Surya Gochar Effect on Zodiac Signs: નવેમ્બર મહિનામાં સૂર્ય ગોચરની દરેક 12 રાશિઓ પર અસર પડશે. સૂર્ય ગોચરથી કેટલીક રાશિના જાતકોને લાભ થશે તો કેટલીક રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. 

Surya Rashi Parivartan 2022: 16 નવેમ્બરે ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય

નવી દિલ્હીઃ Surya Gochar November 2022: સૂર્યને ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યને સાહસ, પરાક્રમ તથા આત્માનો કારક માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યો પ્રમાણે સૂર્યની કૃપા વગર કોઈ જાતક ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકતા નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ 16 નવેમ્બરે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. સૂર્યદેવ મંગલની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ....

મેષ- સૂર્ય તમારી રાશિના આઠમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમયગાળામાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન કોઈ આકસ્મિત ઘટના બની શકે છે. વાહન ચલાવવામાં સાવચેતી રાખો. 

વૃષભ- આ રાશિના સપ્તમ ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. સૂર્ય ગોચરને કારણે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે અમબનાવ બની શકે છે. માનસિક તણાવ રહી શકે છે. 

મિથુન- મિથુન રાશિના છઠ્ઠા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. સૂર્યના આ ગોચરથી તમારા શત્રુઓનો નાશ થશે. સૂર્યદેવની કૃપાથી તમને મોટી નોકરી મળી શકે છે. યાત્રાથી લાભ થશે. 

કર્ક- કર્ક રાશિના પાંચમાં ભાવમાં સૂર્ય ગોચર કરશે. આ દરમિયાન તમને સંતાન તરફથી સુખ પ્રાપ્ત થઈ શકે છે. પ્રેમ સંબંધ મધુર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. મિત્રોનો સહયોગ મળશે. 

સિંહ- સિંહ રાશુના ચતુર્થ ભાવમાં સૂર્ય ગોચર થશે. આ દરમિયાન તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. કાર્ય સ્થળ પર તમે સારૂ કામ કરશો. 

કન્યા- કન્યા રાશિના ત્રીજા ભાવમાં સૂર્ય રાશિ પરિવર્તન થશે. આ દરમિયાન તમને યાત્રાનો લાભ મળશે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. પ્રગતિ થઈ શકે છે. ભાઈ-બહેનનો સહયોગ મળશે.

આ પણ વાંચોઃ 30 નવેમ્બર સુધી આ 5 રાશિઓની બલ્લે-બલ્લે, ગ્રહોના પ્રભાવથી થશે ખાસ લાભ

તુલા- તુલા રાશિના બીજા ભાવમાં સૂર્યદેવ પ્રવેશ કરશે. આ દરમિયાન તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. ખર્ચમાં વધારો થઈ શકે છે. 

વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના લગ્ન ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. આ દરમિયાન તમારી કુંડળીમાં રાજયોગનું નિર્માણ થશે. આ દરમિયાન તમારા સાહસ તથા પરાક્રમમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન હાસિલ થશે. 

ધન- ધન રાશિના 12માં ભાવમાં સૂર્યદેવનો પ્રવેશ થશે. આ દરમિયાન તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂર છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પૈસાના મામલામાં સાવચેતી રાખો. 

મકર- મકર રાશિમાં એકાદશીમાં સૂર્ય ગોચર થશે. આ દરમિયાન તમારા વ્યાપારમાં લાભ થઈ શકે છે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે. લવ લાઇફમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

કુંભ- કુંભ રાશિના દશમાં ભાવમાં સૂર્ય પ્રવેશ કરશે. સૂર્ય ગોચરના પ્રભાવથી તમને કરિયરમાં લાભ થશે. કાર્યસ્થળ પર તમે સારૂ પ્રદર્શન કરી શકશો. માનસિક તણાવ દૂર થશે. વેપારીઓને લાભ થશે. 

મીન- મીન રાશિના ભાગ્ય સ્થાનમાં સૂર્ય ગોચર થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમારા સાહસમાં વધારો થશે. તમને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. વાદ-વિવાદથી બચો. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More