Home> India
Advertisement
Prev
Next

17 સપ્ટેમ્બર બાદ સૂર્યની જેમ ચમકશે આ 7 રાશિઓનું ભાગ્ય

ગ્રહોની ચાલની અસર રાશિ પર પડતી હોય છે. હવે 17 સપ્ટેમ્બરથી સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરવાનો છે. ત્યારે આ રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. 

17 સપ્ટેમ્બર બાદ સૂર્યની જેમ ચમકશે આ 7 રાશિઓનું ભાગ્ય

નવી દિલ્હીઃ સૂર્ય 17 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરશે એટલે આ રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે. સૂર્યના આ ગોચરથી સાત રાશિના જાતકોને ફાયદો થશે. 

મેષઃ મેષ રાશિના જાતકોના બધા કાર્ય પૂર્ણ થશે. જે કાર્યોને પૂરા કરવામાં વિઘ્ન આવી રહ્યું છે તેમાં પણ સફળતા મળશે. 

કર્કઃ તમારી સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ દૂર થશે. જે જાતક લાંબા સમયથી બીમારથી પરેશાન છે તેને રાહત મળશે. 

કન્યાઃ ખર્ચ પહેલા જેવો રહેશે, પરંતુ આવકના સાધનોથી પૂરતુ ધન આવતું રહેશે. આ દરમિયાન સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. 

તુલાઃ સૂર્ય ગોચર બાદ તુલા રાશિમાં વિદેશ યાત્રા પર જવાનો યોગ બની શકે છે. તો તુલા રાશિના જાતકોને કોઈ ખુશખબર પણ મળી શકે છે. 

વૃશ્ચિકઃ આવકના સાધનોમાં વૃદ્ધિ થશે અને તમે એકથી વધુ માધ્યમો દ્વારા પૈસા કમાવામાં સફળ થશો. માનસિક સુખ પણ મળશે. 

ધનઃ સૂર્ય દેવ ધન કમાવાના સારા અને નવા અવસર આપવાના છે. બિઝનેસનો વિસ્તાર થશે. લાભની ટકાવારી પણ ડબલ થશે. 

મીનઃ નોકરી-વ્યાપારમાં નવા અને સારા અવસર મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ, નવું વાહન ખરીદવા માટે સારો સમય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More