Home> India
Advertisement
Prev
Next

સિદ્ધુનાં ISI સાથે સંબંધ, તેની કોલ ડિટેલ્સની તપાસ થવી જોઇએ: સુખબીર બાદલ

ગુપ્તચર એજન્સીઓએ સિદ્ધુના કોલ ડિટેલની તપાસ કરવી જોઇએ કારણ કે તેઓ પાકિસ્તાન સાથે સતત સંપર્કમાં છે

સિદ્ધુનાં ISI સાથે સંબંધ, તેની કોલ ડિટેલ્સની તપાસ થવી જોઇએ: સુખબીર બાદલ

ચંડીગઢ : શિરોમણી અકાલી દળનાં પ્રમુખ સુખબીર સિંહ બાદલે મંગળવારે પંજાબનાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને દેશના સૌથી મોટા ગદ્દાર ગણાવતા તેમની કોલ ડિટેઇલ્સની તપાસ કરાવવા માટેની માંગ કરી, કારણ કે તેઓ સતત પાકિસ્તાનીઓનાં સંપર્કમાં છે. મારૂ માનવું છે કે સિદ્ધું આઇએસઆઇની સાથે સંબંધ છે. ગુપ્તચર એજન્સીઓને તેમની કોલ ડિટેલ્સની તપાસ કરવી જોઇએ કારણ કે તેઓ પાકિસ્તાનીઓનાં સતત સંપર્કમાં છે. પૂર્વ ઉપમુક્યમંત્રીએ આરોપ લગાવ્યો કે સિદ્ધુ કરતારપુર સાહેબ જેવા પવિત્ર મુદ્દાઓને કોઇ ગંભીરતા વગર ઉઠાવીને માત્ર સમાચારોમાં રહેવા બાબતે રસ ધરાવે છે. 

બાદલે દાવો કર્યો કે, કરતારપુર બોર્ડરના મુદ્દે કથિત રીતે મધ્યસ્થી કરવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે સિદ્ધુની ઝાટકણી કાઢી છે. બાદલે કહ્યું કે, સિદ્ધુ જ્યારે (પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે) પાકિસ્તાન ગયા હતા તો તેમણે પાકિસ્તાની સેનાના પ્રમુખના ગલે લગાવ્યા. તેમણે તેમની સેનાના પ્રમુખને ગળે લગાવ્યા જેમાં સરહદ પર અમારા સૈનિકોને મારવાનાં આદેશ આપ્યા. સિદ્ધુથી મોટા કોઇ ગદ્દાર હોઇ શકે નહી. 

fallbacks

હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું કે, સિદ્ધુ પંજાબ સરકારમાં મંત્રી છે અને તેમને વિદેશ નીતિ પર ટિપ્પણી કરવાથી દુર રહેવું જોઇએ. વિઝે અહીં એક અલગ કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ પંજાબ સરકારમાં મંત્રી છે ન કે વિદેશ મંત્રી. તેમણે વિદેશ નીતિ પર ટિપ્પણી કરતા રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, દેશનાં નાગરિક હોવાનાં કારણે તેઓ પોતાનો વિચાર મુકી શકેછે પરંતુ વિદેશ નીતિમાં દખલ આપી શકે નહી. 

આરોપ અંગે પ્રતિક્રિયા આપતા દિવસમાં સિદ્ધુંએ કહ્યું કે, જો કોઇ મારા પર આરોપ લગાવવા માંગે છે અથવા અપશબ્દ કહેવા માંગે છે તો તેમને તે કરવું જોઇએ. વિદેશ મંત્રી દ્વારા ઝાટકણી કાઢવાના સમાચારો અંગે પુછવામાં આવતા સિદ્ધુએ કહ્યું કે, મારો મિજાજ ન બગાડો. મને કંઇ પણ કહેવું નથી. શાંતિ જ એક માત્ર રસ્તો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More