Home> India
Advertisement
Prev
Next

Maharashtra Live Updates: શરદ પવારની પીઠમાં ખંજર માર્યુ ભત્રીજા અજિત પવારે? ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો

ભાજપ (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Phadanvis) મહારાષ્ટ્ર (maharastra)માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. આ પલટાયેલી બાજીમાં શરદ પવાર (Sharad Pawar) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નો મોટો રોલ છે. 

Maharashtra Live Updates: શરદ પવારની પીઠમાં ખંજર માર્યુ ભત્રીજા અજિત પવારે? ટ્વિટ કરીને કર્યો મોટો ધડાકો

મુંબઈ : ભાજપ (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Phadanvis) મહારાષ્ટ્ર (maharastra)માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. આ પલટાયેલી બાજીમાં શરદ પવાર (Sharad Pawar) અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)નો મોટો રોલ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના સરકાર બનાવવાની કવાયતમાં લાગેલા છે. તેમની વચ્ચે બેઠકોનો દોર પણ થયો હતો જેમાં સરકાર બનાવવા માટેની બ્લુ પ્રિન્ટની ચર્ચા પણ કરવામાં આવી હતી. જોકે રાતોરાત બાજી પલટાઈ ગઈ અને એનસીપીએ ભાજપને ટેકો આપતા શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં શિવસેનાના મોં સુધી આવેલો સત્તાનો કોળિયો ઝુંટવાઈ ગયો છે. આ મામલે શરદ પવારના રોલ વિશે શંકાકુશંકા કરવામાં આવી રહી હતી પણ શરદ પવારે ટ્વિટ કરીને મોટો ધડાકો કર્યો છે. 

શપથ લીધા પછી ફડણવીસે જણાવ્યું, શું કામ બની રાતોરાત બની સરકાર

શરદ પવારે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટેકો આપવાનો નિર્ણય અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં. શરદ પવારની આ ટ્વિટ પરથી એવો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે કે ભત્રીજા શરદ પવારે કાકા શરદ પવારને વિશ્વાસમાં લીધા વગર ભાજપને ટેકો આપવાનો નિર્ણય લઈને તેમની પીઠમાં ખંજર માર્યુ છે.

શપથ લીધા પછી સીએમ ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારે પહેલું નિવેદન આપ્યું, કહ્યું કે...

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠળ ગઈ કાલે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય  પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર  બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવા લાગ્યો અને આજે એનું પરિણામ જોવા મળ્યું છે.

શરદ પવારના કારણે શિવસેનાનો મોં સુધી આવેલો કોળિયો ઝુંટવાયો, દિવસો પહેલાં આપ્યો હતો ઇશારો
LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More