Home> India
Advertisement
Prev
Next

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં ઈન્ડિયા-ચાઈના લેવલ મિકેનિઝમ (એચએલએમ)ની બીજી બેઠકમાં ભાગ લેશે.

વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના પ્રવાસે જશે, દ્વિપક્ષીય સંબંધો પર થશે મંત્રણા

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર આજે ચીનના ત્રણ દિવસના પ્રવાસે જશે. તેઓ ત્યાં ઈન્ડિયા-ચાઈના લેવલ મિકેનિઝમ (એચએલએમ)ની બીજી બેઠકમાં ભાગ લેશે. વિદેશ મંત્રી બન્યા બાદ એસ જયશંકરનો આ પહેલો ચીન પ્રવાસ છે. ચીનમાં વિદેશ મંત્રી પોતાના સમકક્ષ વાંગ યી સાથે બેઠક કરશે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી બીજી અનૌપચારિક મુલાકાતને લઈને તૈયારીઓ પર હશે. 

જુઓ LIVE TV

વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આ એચએલએમની બેઠક બંને દેશો વચ્ચે પર્યટન, કળા, ફિલ્મ, મીડિયા, સંસ્કૃતિ અને ખેલ ક્ષેત્રે સહયોગના આદાન-પ્રદાનને દર્શાવશે. આ એચએલએમ મીટિંગનો પાયો પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે ગત વર્ષ એપ્રિલમાં થયેલી પહેલી અનૌપચારિક મુલાકાત દરમિયાન પડ્યો હતો. બંને વચ્ચે આ બેઠક 21 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં થઈ હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More