Home> India
Advertisement
Prev
Next

Republic day: 2024ની પરેડની સૌથી ખાસ વાત, પહેલીવાર મહિલાઓએ કરી શરૂઆત, શંખથી થયો શુભારંભ

સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.  પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે. 

Republic day: 2024ની પરેડની સૌથી ખાસ વાત, પહેલીવાર મહિલાઓએ કરી શરૂઆત, શંખથી થયો શુભારંભ

દેશ આજે પોતાનો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે.  કર્તવ્ય પથ પર 90 મિનિટના પરેડ કાર્યક્રમ દરમિયાન પોતાની વધતી સૈન્ય તાકાત અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના ભવ્ય પ્રદર્શન સાથે આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ. દેશની મહિલા શક્તિ અને લોકતાંત્રિક મુલ્યો પર કેન્દ્રિત આ ભવ્ય સમારોહમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. સશસ્ત્ર દળોની પરેડમાં મિસાઈલ, ડ્રોન, ઝામર, નિગરાણી પ્રણાલી, વાહન પર લાગેલા મોર્ટાર અને બીએમપી-2 પગપાળા સેનાના ફાઈટર વિમાનો જેવા ઘરેલુ હથિયારો અને સૈન્ય ઉપકરણોનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.  પહેલીવાર ત્રણેય સેનાઓની મહિલા ટુકડી દેશના આ સૌથી મોટા સમારોહમાં સામેલ થઈ છે. 

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી સલામી
રાષ્ટ્રપતિ મુર્મૂ ચીફ ગેસ્ટ ઈમેન્યુઅલ મેક્રોન સાથે સમારોહ સ્થળે પહોંચ્યા જ્યાં પીએ મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ધ્વજ ફરકાવ્યો અને તિલંગાને સલામી આપી. ત્યારબાદ શંખ, ઢોલ અને નગારા સાથે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ. હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરીને પરેડનું સ્વાગત કરવામાં આવ્યું. 21 તોપ દ્વારા તિરંગાને સલામી આપવામાં આવી. 

શાહી બગ્ગીમાં સવાર થઈ કર્તવ્યપથ પહોંચ્યા રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આ વખતે મુખ્ય મહેમાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે શાહી બગ્ગીમાં સવાર થઈને કર્તવ્યપથ પહોંચ્યા. 

પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં ગણતંત્ર દિવસના અવસરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા. 

આ કારણે ઉજવાય છે ગણતંત્ર દિવસ
ભારતનો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 1950ના રોજ દેશનું બંધારણ લાગુ થવાની ખુશીમાં ઉજવાય છે. 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળ્યા બાદ દેશનું બંધારણ લખવામાં આવ્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરાયું હતું. ત્યારથી દેશ દર વર્ષે પોતાનો ગણતંત્ર દિવસ ઉજવે છે. આજે આ પરેડ સવારે 10.30 વાગે વિજય ચોકથી શરૂ થશે અને કર્તવ્ય પથ પર થઈને નેશનલ સ્ટેડિયમમાં જઈ પૂરી થશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More