Home> India
Advertisement
Prev
Next

Corona : વિદેશી પ્રવાસીઓ માટે ટ્રાવેલ નિયમોમાં છૂટછાટ, આ તારીખથી લાગુ થશે નવી સિસ્ટમ

Actual Covid Infections In India: 'ભારત કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ 100 થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, મંત્રાલય તેના આંતરરાષ્ટ્રીય આગમન માટે માર્ગદર્શિકાને સતત અપડેટ કરી રહ્યું છે.

Corona : વિદેશી પ્રવાસીઓ માટે ટ્રાવેલ નિયમોમાં છૂટછાટ, આ તારીખથી લાગુ થશે નવી સિસ્ટમ

Government eases travel norms for passengers: દેશમાં કોરોનાના ઘટતા કેસોની વચ્ચે, કેન્દ્ર સરકારે ચીન અને અન્ય છ દેશોના મુસાફરો માટે મુસાફરીના નિયમો હળવા કર્યા છે. જો કે, ભારતમાં આવતા 2 ટકા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ હાલ પૂરતું ચાલુ રહેશે. આરોગ્ય મંત્રાલયે ચાઇના (China), જાપાન (Japan), સિંગાપોર (Singapore), દક્ષિણ કોરિયા  (South Korea), થાઇલેન્ડ (Thailand) અને હોંગકોંગ(Hong Kong) થી આંતરરાષ્ટ્રીય આગમન માટે 'આંતરરાષ્ટ્રીય આગમન માટેની માર્ગદર્શિકા' અપડેટ કરી મુસાફરો માટે પ્રી-ડિપાર્ચર કોવિડ-19 ટેસ્ટ કરાવવા અને સ્વ-સ્વાસ્થ્ય ઘોષણા અપલોડ કરવાની હાલની જરૂરિયાતો દૂર કરી છે.

આ પણ વાંચો:

PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ,  ક્લિક કરીને ખાસ જાણો 

આ મહિનાથી માર્કેટમાં મળતી થઈ જશે સર્વાઈકલ કેન્સરની રસી, જાણો કિંમત

કેન્દ્ર તરફથી પત્ર
નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખેલા પત્રમાં, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે છેલ્લા 4 અઠવાડિયામાં જોવામાં આવે છે, આ દેશોમાં કોવિડ -19 કેસની ગતિમાં સતત અને નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. વધુમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના કોવિડ-19 પરના નવીનતમ પરિસ્થિતિગત અપડેટ અનુસાર, છેલ્લા 28 દિવસમાં વૈશ્વિક સ્તરે નવા પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં 89 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

કેમ લેવાયો નિર્ણય?

આ પણ વાંચો:

મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટેનો ચુકાદો

12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'આ દરમિયાન, ભારતમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેમાં દરરોજ 100 થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે. મંત્રાલય આંતરરાષ્ટ્રીય આગમન માટે તેની માર્ગદર્શિકા અપડેટ કરી રહ્યું છે. કોવિડ-19 પરીક્ષણ ચીન, સિંગાપોર, હોંગકોંગ, રિપબ્લિક ઓફ કોરિયા, થાઈલેન્ડ અને જાપાનથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના 'એર સુવિધા' પોર્ટલ પર સ્વ-સ્વાસ્થ્ય ઘોષણા અપલોડ કરવામાં આવે છે.

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં કહ્યું છે કે, 'ભારત આવતાં જ 2 ટકા મુસાફરોના રેન્ડમ ટેસ્ટિંગની કવાયત ભારતમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોમાં SARS-CoV-2ના પરિવર્તિત વેરિએન્ટને કારણે ચેપ પર ધ્યાન રાખવા માટે ચાલુ રહેશે.' તમને જણાવી દઈએ કે આ નવી સિસ્ટમ 13 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી અમલમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More