Home> India
Advertisement
Prev
Next

જગન્નાથ મંદિર પરથી કેમ ચકલું પણ ફરકતું નથી? કેમ હવાથી વિપરીત ફરકે છે ધજા? જાણો રહસ્યો

RATHYATRA 2023: ભારતના સનાતન ધર્મમાં જે ચાર ધામની યાત્રાનું માહત્મ્ય છે તેમાંથી એક ધામ એટલે જગન્નાથ પુરી...એવી માન્યતા છેકે, ત્રણેય ધામની યાત્રા બાદ દરેક વ્યક્તિએ અંતમાં અહીં જવું જોઈએ...પુરીનું જગન્નાથ મંદિર જેટલું સુંદર છે, તેના વિશેની અનોખી વાતો એટલી જ અચરજ પમાડે તેવી છે

જગન્નાથ મંદિર પરથી કેમ ચકલું પણ ફરકતું નથી? કેમ હવાથી વિપરીત ફરકે છે ધજા? જાણો રહસ્યો

RATHYATRA 2023: આવી ગઈ જગતના નાથની નગરચર્ચાની ઘડી. આવી ગઈ રથયાત્રા. આખુ વર્ષ ભક્તો ભગવાનના દર્શને જતા હોય છે પણ રથયાત્રાનો દિવસ એટલેકે, આ એ દિવસ હોય છે જ્યારે જગતના નાથ પોતે ઠાઠમાઠથી નગરચર્યાએ નિકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન ઓડિશાના પુરીનું જગન્નાથ મંદિર વિશ્વ વિખ્યાત છે. જગતના નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના સામાન્ય નિયમો સામે અહીંની અજાયબીઓ પ્રશ્નાર્થ ઊભા કરે છે.  ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આ વીડિયોમાં વાત કરીશું આવા જ કેટલાંક રહસ્યો વિશેની જે આજ દિન સુધી નથી ઉકેલાયા...

મંદિર પર કોઈ પક્ષી નથી ઉડતું:
આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષીઓ બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.

હવાની દિશા છે વિપરીત:
સમુદ્ર તટ પર દિવસમાં હવા જમીનની તરફ આવે છે અને સાંજે તેનાથી વિપરીત દિશામાં વહે છે, પરંતુ પુરીમાં હવા દિવસમાં સમુદ્રની તરફ આવે છે અને રાત્રે મંદિર તરફ વહે છે.

ચક્ર હંમેશાં દેખાય છે સીધું:
જગન્નાથ મંદિર પર એક સુદર્શન ચક્ર લાગેલું છે. જેને તમે કોઈપણ દિશામાંથી જોશો, તો તે સામે જ નજર આવશે.

હવાની વિપરીત દિશામાં ફરકે છે ધજા:
સામાન્ય રીતે મંદિરના શિખર પર લગાવેલી ધજા એ જ તરફ ઉડે છે, જે તરફ પવન આવતો હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગૂ નથી પડતો. આ મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં ફરકે છે. અહીં એવુ કેમ થાય છે, તે આજ સુધી કોઈ નથી જાણી શક્યું.

રસોઈ બનાવવાની પ્રક્રિયા છે અલગ:
મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણોને એકબીજાની ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને પકાવવામાં આવે છે. આશ્ચર્ય એવું છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપરના વાસણનો પ્રસાદ પહેલા પાકે છે.

નથી સંભળાતો લહેરોનો અવાજ:
મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.

ક્યારેય ઓછું નથી પડતું ભોજન:
મંદિરમાં ક્યારેય હજારો તો રથયાત્રા જેવા તહેવારોના સમયમાં લાખો લોકો ભોજન કરે છે. પરંતુ ક્યારેય અહીં અન્નની ઘટ નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.

નથી દેખાતો ગુંબજનો પડછાયો:
સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.

જગન્નાથના દર્શનથી મનોકામના થાય છે પૂર્ણ:
ઓડિશાનું જગન્નાથપુરી મંદિરએ દેશભરમાં હિંદુઓની આસ્થાનું એક મોટું પ્રતિક છે. પુરીના જગન્નાથ મંદિરનું એવું સત છેકે, ત્યાં સાચા મનથી ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More