Home> India
Advertisement
Prev
Next

ગાંધીજી એટલા શરમીલા હતા કે, ઈન્ટરવ્યૂ આપતા સમયે પણ તેમનુ માથુ ઝૂકેલું હતું

ગાંધીજી એટલા શરમીલા હતા કે, ઈન્ટરવ્યૂ આપતા સમયે પણ તેમનુ માથુ ઝૂકેલું હતું

તમે ગાંધીજીની તસવીરો અને કેટલાક વીડિયો તો અનેક જોઈ હશે, પણ શું તમે તેમનો ઈન્ટરવ્યૂ જોયો છે? ગાંધીજીના ઈન્ટરવ્યૂનો એકમાત્ર વીડિયો પણ મોજૂદ છે. નેશનલ ગાંધી મ્યૂઝિયમની આર્કાઈવમાં તમને આ વીડિયો જોવા મળશે. શરમીલા સ્વભાવના ગાંધીજીએ કેવી રીતે મસ્તક ઝૂકાવીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેની સ્પષ્ટ ઝલક આ વીડિયોમાં તમને જોવા મળશે. આ ઈન્ટરવ્યૂ અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યૂઝ’ દ્વારા લેવામાં આવ્યો હતો. જે ગાંધીજીનો એકમાત્ર ઈન્ટવ્યૂ હોવાનું કહેવાય છે. 

ગાંધીજી પહેલેથી જ શરમીલા સ્વભાવના હતા. પત્રકારના બહુ જ પ્રયાસ બાદ તેઓ ઈન્ટરવ્યૂ આપવા માટે તૈયાર થયા હતા. 30, એપ્રિલ 1931ના રોજ આ ઈન્ટરવ્યૂ લેવાયો હતો. આ એ જ વર્ષ હતું, જ્યારે ગાંધીજીએ પૂર્ણ સ્વરાજનો નારો બુલંદ કર્યો હતો. મીઠાનો કાયદો તોડવા માટે દાંડી માર્ચ યોજી તી. અંગ્રેજોનો અહિંસાત્મક રીતે ખુલીને વિરોધ શરૂ કર્યો હતો. અહીંથી જ દેશની પૂર્વ સ્વરાજ્ય બનાવવાની ચળવળ તેજ થઈ હતી. ગાંધીજીનો સ્વરાજ વિચાર બ્રિટનના રાજનીતિક, સમાજિક, આર્થિક, બ્યૂરોક્રેટિક, કાયદાકીય, સૈનિક તથા શૈક્ષણિક સંસ્થાઓના બહિષ્કાર કરવાનું આ આંદોલન હતુ. 

ગાંધીજી અને પત્રકાર વચ્ચે થયેલી વાતચીતના અંશો :

પત્રકાર : મિ.ગાંધી શું તમે જણાવશો કે, તમે લંડનમાં યોજાનારી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે જવાના છો?
ગાંધીજી : મને કોઈ ધારણા નથી. જો હિન્દુ-મુસ્લિમ પ્રશ્નો સંતોષકારક રીતે સોલ્વ નહિ થાય તો જવાની કોઈ ધારણા નથી.
પત્રકાર : જો ઈંગ્લેન્ડ તમારી માંગો પર સહમત થઈ ગયું, તો શું તમે નવા ભારતીય રાજ્યોમાં પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો ઈરાદો રાખો છો?
ગાંધીજી : ઓહ, હા
પત્રકાર : પૂર્ણ પ્રતિબંધ?
ગાંધીજી પૂર્ણ
પત્રકાર : જો ભારત આઝાદી મેળવે છે, તો શું તમે બાળ વિવાહ નાબૂદ થશે તેવી ધારણા રાખો છો?
ગાંધીજી : મને પહેલેથી જ ગમતુ હતુ
પત્રકાર : જો ઈંગ્લેન્ડ તમારી માંગોને પૂરુ નહિ કરે, તો શું તમે ફરીથી જેલ જવા તૈયાર છો?
ગાંધીજી : હું હંમેશા જેલ પરત ફરવા તૈયાર છું
પત્રકાર : શું તમે ભારતની આઝાદી માટે મરવા તૈયાર છો?
ગાંધીજી : આ ખરાબ સવાલ છે
પત્રકાર : શું તમે રાઉન્ટ ટેબલ કોન્ફરન્સમાં જશો તો ભારતીય પોષાક પહેરવાનું પસંદ કરશો, કે યુરોપીય પોષાક?
ગાંધીજી ; હું નિશ્ચિત રૂપે યુરોપીય પોષાકમાં નહિ દેખાઉ અને જો વાતાવરણ અનુકૂળ હશે તો હું હાલ જેવો છું તેવી જ સ્થિતિમાં પ્રસ્તુત થવાનું પસંદ કરીશ.
પત્રકાર : જો ઈંગ્લેન્ડના રાજા તમને બકિંગહામ પેલેસમાં ડિનર માટે આમંત્રિત કરશે, તો તમે તમારા ભારતીય પહેરવેશમાં નહિ જાઓ?
ગાંધીજી : અન્ય પોષાક માટે મને નિરાશા લાગશે, કેમ કે મારે આર્ટિફિશ્યલ હોવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More