Home> India
Advertisement
Prev
Next

26/11 આતંકી હુમલાના દોષિત કસાબને 'હિન્દુ' સાબિત કરવા માંગતી હતી ISI, જાણો શું હતો પ્લાન

આખી દુનિયાને હચમચાવી નાખનારા 26/11 મુંબઈ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો હુમલાના દોષિત અજમલ આમિર કસાબ અંગે થયો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઓ (Let me say it now)' માં લખ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI મુંબઈ હુમલાના તમામ આતંકીઓને હિન્દુ સાબિત કરવા માંગતી હતી.

26/11 આતંકી હુમલાના દોષિત કસાબને 'હિન્દુ' સાબિત કરવા માંગતી હતી ISI, જાણો શું હતો પ્લાન

મુંબઈ: આખી દુનિયાને હચમચાવી નાખનારા 26/11 મુંબઈ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો હુમલાના દોષિત અજમલ આમિર કસાબ અંગે થયો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઓ (Let me say it now)' માં લખ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI મુંબઈ હુમલાના તમામ આતંકીઓને હિન્દુ સાબિત કરવા માંગતી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે કસાબની પાસે એક નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું હતું. જેના પર સમીર ચૌધરી લખેલુ હતું. 

મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને

કસાબ જીવતો પકડાતા ફેલ ગયું ષડયંત્ર
મારિયાના દાવા મુજબ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જો ઘટનાસ્થળે જ માર્યો ગયો હોત તો આજે દુનિયા કદાચ આ ઘટનાને હિન્દુ આતંકવાદ માની બેઠી હોત. 26/11ના હુમલાને ISIની છત્રછાયામાં અંજામ આપનાર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ ભારતના જ હિન્દુઓ તરફથી કરવામાં આવેલા આતંકી હુમલાનું સ્વરૂપ આપવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. આ માટે કસાબના કાંડા પર હિન્દુઓનો પવિત્ર દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ઓળખ પત્ર પણ બેંગ્લુરુના રહિશ તરીકે સમીર દિનેશ ચૌધરી અપાયું હતું. આ ષડયંત્રમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગની મિલીભગત હતી.

પુસ્તકમાં જણાવાયું છે કે જો આ પ્લાન સફળ થઈ ગયો હોત તો તમામ અખબારો અને ટીવી ચેનલો પર હિન્દુ આતંકવાદના હેડિંગ જોવા મળત. તેમણે લખ્યું કે ત્યારે અખબારોમાં હેડલાઈન હોત કે કેવી રીતે હિન્દુ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. પરંતુ કસાબ જીવતો પકડાઈ જતા પ્લાન પર પાણી ફરી વળ્યું. અત્રે જણાવવાનું કે મારિયાના પુસ્તક પહેલા આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ હુમલાઓમાં સામેલ આતંકીઓ પાસેથી હૈદરાબાદના અરુણોદય કોલેજના આઈડી કાર્ડ્સ મળ્યાં હતાં. 

fallbacks

(તસવીર-રાકેશ મારિયા)

મારિયાનું એમ પણ કહેવું છે કે કસાબને જીવતો રાખવો તે તેમની પહેલી પ્રાથમિકતા હતી. તેમણે લખ્યું કે મુંબઈ પોલીસમાં તેના વિરુદ્ધ ગુસ્સો અને રોષની કોઈ સીમા નહતી. પાકિસ્તાનની ISI અને લશ્કર તેને ખતમ કરવા માંગતા હતાં કારણ કે તેના કારણે પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ થવાનો હતો. તે પાકિસ્તાનના કાળા કામોનો એકમાત્ર જીવતો પુરાવો હતો. મારિયાનો દાવો છે કે કસાબને ખતમ કરવાની જવાબદારી દાઉદ ઈબ્રાહિમ ગેંગને અપાઈ હતી. 

આ પુસ્તકમાં રાકેશ મારિયાએ શીના બોરા હત્યા કેસ દરમિયાન પોતાની અચાનક થયેલી બદલી ઉપર પણ ચૂપ્પી તોડી છે. પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તકમાં કેસ સંબંધિત અનેક મોટા ખુલાસા કર્યા છે. પોતાના પુસ્તકમાં શીના બોરા હત્યા મામલે પીટર મુખરજીને લઈને સીએમને ગુમરાહ કરવાની વાતને રાકેશ મારિયાએ ફગાવી છે. તેમના પર આરોપ હતાં કે તપાસ દરમિયાન તેમણે પીટર મુખરજીને બચાવવાની કોશિશ કરી હતી. અત્રે જણાવવાનું કે પીટર પોતાની પૂર્વ પત્ની ઈન્દ્રાણીની પુત્રી શીનાની હત્યાનો આરોપી છે. 

જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ

રાકેશ મારિયાએ પોતાના પુસ્તક  'Let Me Say It Now' માં કહ્યું છે કે 2015માં શીના બોરાની હત્યાની તપાસની શરૂઆતમાં જોઈન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર દેવેન ભારતીએ તેમને અંધારામાં રાખ્યા અને એ ખુલાસો પણ ક્યારેય કર્યો નહતો કે પીટર મુખરજીને તેઓ જાણતા હતાં. પુસ્તકમાં રાકેશે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે તેમણે પીટરને સવાલ કર્યો કે જ્યારે 2012માં શીના અચાનક ગાયબ થઈ તે તેમને ખબર પડી તો તેમણે કેમ કશું કર્યું નહીં, ત્યારે તેમણે કહ્યું કે સર મે દેવેનને જણાવ્યું હતું. 

જુઓ LIVE TV

પોતાના પુસ્તકમાં શીના બોરા હત્યાકાંડ મામલે પીટર મુખરજીને લને સીએમને ભ્રમિત કરવાની વાત પણ રાકેશ મારિયાએ ફગાવી છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે 'તેમના અને તત્કાલિન સીએમ દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે કઈંક ગેરસમજ થઈ હશે. તેમને શક હતો કે કોઈએ તેમના તરફથી તત્કાલિન સીએમ ફડણવીસને ખોટી માહિતી આપી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સના હવાલે કહેવાયું હતું કે તેમણે જણાવવામાં આવ્યું કે પીટર મુખરજી શીનાની હત્યામાં સામેલ નહતાં.' તેમણે કહ્યું કે જ્યારે કેસના અંતિમ પડાવમાં મને પ્રમોટ કરવાની વાત કરીને ટ્રાન્સફર કરી દેવાઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More