Home> India
Advertisement
Prev
Next

Railway Knowledge: ભારતનો એક એવો પૂલ જેના પર સાથે દોડે છે કાર અને ટ્રેન, વીડિયો જોઈને નહીં થાય વિશ્વાસ

Railway Knowledge: આસામના ડિબ્રુગઢ ખાતે બ્રહ્મપુત્રા નદી પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. બોગીબીલ બ્રિજ દેશનો સૌથી લાંબો રેલ-કમ-રોડ બ્રિજ છે. તે બ્રહ્મપુત્રા નદીના ઉત્તર અને દક્ષિણ કાંઠે ધેમાજી અને ડિબ્રુગઢને જોડવાનું કામ કરે છે. 

Railway Knowledge: ભારતનો એક એવો પૂલ જેના પર સાથે દોડે છે કાર અને ટ્રેન, વીડિયો જોઈને નહીં થાય વિશ્વાસ

Railway Knowledge: આસામના ડિબ્રુગઢ ખાતે બ્રહ્મપુત્રા નદી પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. બોગીબીલ બ્રિજ દેશનો સૌથી લાંબો રેલ-કમ-રોડ બ્રિજ છે. તે બ્રહ્મપુત્રા નદીના ઉત્તર અને દક્ષિણ કાંઠે ધેમાજી અને ડિબ્રુગઢને જોડવાનું કામ કરે છે. આ બ્રિજ ખુલવાથી ઉપલા આસામ અને અરુણાચલ પ્રદેશમાં રહેતા લાખો લોકોની અવરજવરમાં સરળતા થઈ છે. આ પૂલ 4.9 કિમી લાંબો છે અને એશિયાનો બીજો સૌથી લાંબો રેલ અને રોડ બ્રિજ છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ પુલમાં ક્યાંય રિપીટ નથી લગાવવામાં આવ્યા.  તેના બદલે દરેક જગ્યાએ લોખંડનું વેલ્ડિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે તેનું વજન 20% ઘટ્યું છે અને તેની કિંમત પણ ઘટી છે. રેલવે દ્વારા બનાવવામાં આવેલા આ ડબલ ડેકર બ્રિજ તેના પરથી ટ્રેનો અને ગાડીઓ બંને પસાર થઈ શકશે. ઉપરના માળે ત્રણ લેન રોડ બનાવવામાં આવ્યો છે. નીચલા ડેક પર બે ટ્રેક બનાવવામાં આવ્યા છે. આ પૂલ એટલો મજબુત બનાવવામાં આવ્યો છે કે સૈન્ય ટેન્ક પણ તેમાંથી પસાર થઈ શકે છે.

આ પણ વાંચો:
ઈલેક્ટ્રીક મીટરની બાજુમાં ફિટ કરી દો 800 રૂપિયાનું આ છોટુ ડીવાઇસ
ઓનલાઇન લીક થઈ The Kerala Story! વિવાદો વચ્ચે પણ બીજા દિવસે ધમાકેદાર કમાણી
આજે પંડ્યા બ્રધર્સ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ગુજરાત-લખનૌ મેચની પીચ રીપોર્ટ

ચાલો જાણીએ આ રેલ કમ રોડ બ્રિજની ખાસિયત અંગે
તે આસામના ડિબ્રુગઢને અરુણાચલના ધેમાજી જિલ્લા સાથે જોડવાનું કામ કરે છે. આ પુલના નિર્માણથી આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મુસાફરીમાં 4 કલાકનો ઘટાડો થયો છે. આ સિવાય દિલ્હીથી ડિબ્રુગઢ સુધીનો ટ્રેનનો સમય ત્રણ કલાક ઘટીને 34 કલાક થઈ જશે. અગાઉ આ અંતર 37 કલાકમાં કાપવામાં આવતું હતું.

પૂલ બનાવવા માટે નદીની પહોળાઈ કરી દિધી ઓછી
તે આસામના ડિબ્રુગઢને અરુણાચલના ધેમાજી જિલ્લા સાથે જોડવાનું કામ કરે છે. આ પુલના નિર્માણથી આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેના મુસાફરીના સમયમાં 4 કલાકનો ઘટાડો થયો છે. આ સિવાય દિલ્હીથી ડિબ્રુગઢ સુધીની ટ્રેનનો સમય ત્રણ કલાક ઘટાડીને 34 કલાક કરવામાં આવશે. અગાઉ આ અંતર 37 કલાકમાં કાપવામાં આવતું હતું.

2018માં થઈ હતી પૂલની શરૂઆત
બોગીબીલ બ્રિજ પ્રોજેક્ટ આસામ એકોર્ડ 1985નો એક ભાગ છે અને તેને વર્ષ 1997-98માં સ્વીકારવામાં આવ્યો હતો. તત્કાલિન પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ 22 જાન્યુઆરી 1997ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પછી, તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 21 એપ્રિલ 2002 ના રોજ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું અને 2018 માં તેમની જન્મજયંતિના અવસર પર તેને લોન્ચ કરવામાં આવ્યું.

આ પણ વાંચો:
હંસ રાજ યોગથી આ 3 રાશિના જાતકોનું જાગી જશે સુતેલું ભાગ્ય, થશે ધનવર્ષા
Palmistry: જે લોકોના હાથમાં આવી રેખાઓ તેઓ ક્યારેય નથી ચઢી શકતા સફળતાની સીડી!
કન્યા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે, સિંહ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More