Home> India
Advertisement
Prev
Next

PM મોદી કરતાં મોટા બંગ્લામાં રહેવા જશે રાહુલ ગાંધી, દેશમાં TOP-3માં આવે છે આ સરકારી નિવાસ

માત્ર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન 10 જનપથથી મોટું છે. જ્યારે રાષ્ટ્રપતિ ભવન, ઉપર રાષ્ટ્રપતિ નિવાસ અને 7 RCR સત્તાવાર નિવાસસ્થાનો છે, 10 જનપથ ગાંધી પરિવારને ફાળવવામાં આવ્યો છે.

PM મોદી કરતાં મોટા બંગ્લામાં રહેવા જશે રાહુલ ગાંધી, દેશમાં TOP-3માં આવે છે આ સરકારી નિવાસ

ઝી ન્યૂઝ/નવી દિલ્હી: હાલમાં રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા બાદ હવે રાહુલ મા સોનિયા સાથે 10 જનપથમાં રહેવા જવાના છે. ત્યારથી 10 જનપથનો બંગલો હવે ચર્ચામાં આવી ગયો છે. સોનિયા ગાંધીનું 10 જનપથ ખાતેનું ઘર વડાપ્રધાનના આવાસ કરતા પણ મોટું છે. દેશના અન્ય નેતાઓની સરખામણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે સૌથી મોટું ઘર છે. આટલું જ નહીં તેમનું આવાસ 10 જનપથ વડાપ્રધાનના નિવાસસ્થાન 7 રેસકોર્સ કરતા પણ મોટું છે.

રો-રો એ 615 કરોડમાં સરકારને રોવડાવી, ગુજરાતીઓની કમાણીના પૈસા પાણીમાં

સેન્ટ્રલ પબ્લિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વડાપ્રધાનનું આવાસ 14,101 ચોરસ મીટરમાં બનેલું છે, જ્યારે ગાંધી આવાસ 15,181 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે 7RCR કરતાં ઘણું મોટું છે. આ માહિતી એક સમયે દેવ આશિષ ભટ્ટાચાર્ય દ્વારા દાખલ કરવામાં આવેલી RTI અરજી હેઠળ આપવામાં આવી હતી. 320 એકરમાં ફેલાયેલું રાષ્ટ્રપતિ ભવન અન્ય તમામ સત્તાવાર મકાનો કરતાં મોટું છે. તે વિશ્વના કોઈપણ રાજ્યના વડાના ઘર કરતા પણ મોટું છે. બીજી તરફ 6 મૌલાના આઝાદ રોડ સ્થિત ઉપરાષ્ટ્રપતિનું આવાસ 26,33.49 ચોરસ મીટરમાં બનેલું છે. સોનિયા ગાંધી છેલ્લા 32 વર્ષથી 10 જનપથ પર રહે છે.

Forbes Billionaires List: આ 16 ભારતીયો આ વર્ષે નવા અબજોપતિ, ફોર્બ્સની યાદીમાં સ્થાન

લાલ બહાદુર શાસ્ત્રી 10 જનપથમાં રહેતા હતા
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું 1964માં અવસાન થયું હતું. આ પછી કોંગ્રેસે તેમના નિવાસસ્થાન ત્રિમૂર્તિ ભવનને નેહરુ મેમોરિયલ બનાવવાનો નિર્ણય કર્યો. આવી સ્થિતિમાં નવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ક્યાં રહેશે તેવો પ્રશ્ન ઉભો થયો હતો. આ પછી લાલ બહાદુર શાસ્ત્રીને 10 જનપથ ફાળવવામાં આવ્યો હતો, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહેવા લાગ્યા. લાલ બહાદુર શાસ્ત્રીના ત્યાં સ્થળાંતર થયાના બે વર્ષ પછી 1964માં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું હતું.

Allu Arjun Birthday: 100 કરોડનું ઘર, 30000000થી વધુ પગાર, આવી છે વૈભવી લાઈફ સ્ટાઈલ

રાજીવ ગાંધીના અવસાન બાદ સોનિયાને ફાળવવામાં આવ્યો હતો આ બંગ્લો. 12 જાન્યુઆરી 1990ના રોજ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી આ બંગલામાં રહેવા આવ્યા હતા. એક વર્ષ પછી 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીનું તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી હુમલામાં મૃત્યુ થયું. રાજીવ બાદ આ બંગલો 1991માં જ સોનિયા ગાંધીના નામે ટ્રાન્સફર કરીને ફાળવવામાં આવ્યો હતો. ત્યારથી ત્રણ દાયકા વીતી ગયા છે અને તે હજુ પણ સોનિયા ગાંધીના ઘરનું સરનામું છે.

એક સાથે એક ગામની બે સગર્ભા માતાઓ માટે 108 બની દેવદૂત, હાલક ડોલક બોટમાં બાળકોનો જન્મ

રાહુલ ગાંધી હવે તેમની માતા સાથે આ બંગલામાં શિફ્ટ થશે
આ વર્ષે 26 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધીએ કોંગ્રેસના 85માં સત્રમાં કહ્યું હતું કે મારી પાસે ઘર નથી. રાહુલ હાલમાં લ્યુટિયન્સ દિલ્હીમાં 12, તુઘલક લેન ખાતેના સરકારી બંગલામાં રહે છે. આ બંગલો તેમને 2005માં ફાળવવામાં આવ્યો હતો જ્યારે તેઓ 2004માં અમેઠીથી પહેલીવાર સાંસદ બન્યા હતા.

અદાણીના સંકટમોચક રાજીવ જૈનનું પલટાયું નસીબ, વિશ્વના ધનાઢ્યની યાદીમાં મળી એન્ટ્રી

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. સાંસદના જવાથી હવે તેમણે સરકારી બંગલો પણ ખાલી કરવો પડશે. લોકસભા સચિવાલયે રાહુલને 24 એપ્રિલ સુધીમાં બંગલો ખાલી કરવા નોટિસ મોકલી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને તેમના નિવાસસ્થાને રહેવાની ઓફર કરી હતી, પરંતુ હવે રાહુલ તેમની માતા સાથે તેમના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More