Home> India
Advertisement
Prev
Next

Navjot Singh Sidhu ની તાજપોશી પર લાગી શકે છે ગ્રહણ? એકજુથ થયા બાજવા અને સીએમ અમરિંદર સિંહ

જોકે સૂત્રોના હવાલેથી ખબર છે કે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) ને જલદી જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત 4 અન્ય લોકોને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ (Working Presidents) બનાવવામાં આવશે. 

Navjot Singh Sidhu ની તાજપોશી પર લાગી શકે છે ગ્રહણ? એકજુથ થયા બાજવા અને સીએમ અમરિંદર સિંહ

ચંદીગઢ: પંજાબ (Punjab) કોંગ્રેસના અધ્યક્ષ પદ પર લગભગ ફાઇન ગણવામાં આવી રહેલી નવજોત સિંહ સિદ્ધૂની તાજપોશીના પહેલાં કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવા (Pratap Singh Bajwa) અને સીએમ અમરિંદર સિંહ (Amarinder Singh)‌ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે નવજોત સિંહ સિદ્ધૂ વિરૂદ્ધ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવા એકજુટ થઇ ગયા છે. 

તમને જણાવી દઇએ કે કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી (Manish Tiwari) એ સીએમ અમરિંદર સિંહ અને પ્રતાપ સિંહ બાજવાની મુલાકાતની પ્રશંસા થઇ. તેમણે ટ્વીટ કર્યું કે પ્રતાપ સિંહ બાજવા અને સીએમ અમરિંદર સિંહને એકસાથે જોઇને ખુશી થઇ રહી છે. પ્રતાપને હું 1983 થી ઓળખું છું. આશા છે કે કેપ્ટન સાહેબ આગળ માટે સારી ટીમ બનાવશે. તે ખૂબ અનુભવી છે. 

Watch VIDEO: ક્યારેક રડી તો ક્યારેક હસી અને ક્યારેક રિસાણી Sara Ali Khan, 30 સેકન્ડના VIDEO જોવા મળ્યા 15 ઇમોશન

જોકે સૂત્રોના હવાલેથી ખબર છે કે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) ને જલદી જ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત 4 અન્ય લોકોને પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ (Working Presidents) બનાવવામાં આવશે. 

Amazon સાથે ફક્ત 4 કલાક કામ કરી દર મહિના કરો 60 હજારની કમાણી, જાણો કેવી રીતે?

સિદ્ધૂને શરતો પર માફ કરશે સીએમ અમરિંદર સિંહ
જાણી લો કે નવજોત સિંહ સિદ્ધૂ (Navjot Singh Sidhu) વિવાદ ખત કરવા માટે સીએમ અમરિંદર સિંહે કેટલીક શરતો મુકી છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh)‌ નું કહેવું છે કે સિદ્ધૂને માંગવી પડવી પડશે. ગત થોડા દિવસો પહેલાં ટ્વીટ્સ અને સોશિયલ મીડીયાના માધ્યમથી નવજોત સિંહ સિદ્ધૂએ પંજાબના સીએમ પર જે હુમલા કર્યા, તેના માટે તેમને માફી માંગવી પડશે. સીએમ અમરિંદર સિંહે કહ્યું કે ત્યારબાદ જ તે સિદ્ધૂને મળશે.

તમને જણાવી દઇએ કે સીએમ અમરિંદર સિંહ (Amarinder Singh)‌ અને નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે વિવાદને ખતમ કરવા માટે પંજાબ કોંગ્રેસના પ્રભારી આવતીકાલે પંજાબના મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા. તેમણે સોનિયા ગાંધીનો સંદેશ અમરિંદર સિંહને આપ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે હાઇકમાન્ડનો નિર્ણય તેમને મંજૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More