Home> India
Advertisement
Prev
Next

દિલ્હી: આનંદ વિહારમાં હવાની ક્વોલિટી 8 ગણી ખરાબ, ઇંદિરાપુરમ-વૈશાલીના લોકો માટે ખતરો

સોમવારે જ્યાં દિલ્હી-એનસીઆરમાં સ્મોગની અસર જોવા મળી રહી હતી ત્યારે ઘણા વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર જીવને જોખમમાં મુકે એટલા સ્તર પર પહોંચી ગયું છે.

દિલ્હી: આનંદ વિહારમાં હવાની ક્વોલિટી 8 ગણી ખરાબ, ઇંદિરાપુરમ-વૈશાલીના લોકો માટે ખતરો

નવિ દિલ્હી: દિવાળી પહેલા જ દિલ્હી-એનસીઆરની આબોહવા ખુબ જ ખરાબ થઇ ગઇ છે. સોમવારે જ્યાં દિલ્હી-એનસીઆરમાં સ્મોગની અસર જોવા મળી રહી હતી ત્યારે ઘણા વિસ્તારોમાં પ્રદુષણનું સ્તર જીવને જોખમમાં મુકે એટલા સ્તર પર પહોંચી ગયું છે. સૌથી ખરાબ હાલત આનંદ વિહારના વિસ્તારમાં છે. અહીંયા પર હવામાં PM10ની માત્રા 732 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂવિક મીટર નોંધાયું છે. તે માનકોથી 7 ગણું વધારે છે. ત્યારે આનંદ વિહારમાં PM 2.5ની હવામાં માત્રા 517 માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂવિક મીટર રહ્યું છે. આ માનકથી 8 ગણું વધારે છે. આનંદ વિહારના વિસ્તારમાં હવાનું સ્તર ખુબજ ખરાબ હોવાના કારણે માટી આબાદી તેની ઝપેટમાં આી શેક છે. આનંદ વિહારની પાસે આવેલા ઇંદિરાપુરમ, વૈશાલી અને વસંધરાના વિસ્તાર પડે છે. આ વિસ્તારોમાં એનસીઆરની મોટી આબાદી રહે છે.

સોમવાર સવારે દિલ્હી મંદિર માર્ગ વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સ 707 નોંધાયું છે, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં હવાની ગુણવત્તા 676 રહી અને જવાહર લાલ નહેરૂ સ્ટેડિયમની 681 નોંધાઇ છે. દિલ્હીવાળાને રવિવારે રાહતનો શ્લાવસ લીધો જ્યારે હવાની ગતી વધાથી અને સરકારની તરફથ લાંગુ નિયત્રણ ઉપાયોના કારણે વાયુ ગુણવત્તામાં ઘણા સુધારા આવ્યા છે. જોકે અધિકારીઓએ સોમવારથી હવાની સ્થિતિ ધણી ખરાબ હોવાની ચેતવણી આપી હતી.

રવિવારને સંપૂર્ણ વાયુ ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઇ) 169 પર નોંધ કરવામાં આવી છે જે સામાન્ય શ્રેણીમાં આવે છે. સવારે આ આંકડા 231 પર નોંધ કરવામાં આવી હતી જોકે ખરબ શ્રેણીના અંતર્ગત આવે છે. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે આ ડેટા જાહેર કર્યો છે.

કેન્દ્રીની તરફથી સંચાલીત સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના એક અધિકારીએ કહ્યું કે વાયુ ગુણવત્તામાં સુધારાનું કારણ હવાની ગતી પાંચ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવી છે. આ પ્રદુષણ કરનાર તત્વોને ખેંચી લઇ જાય. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા નિયંત્રણ ઉપાયોને પણ તેમાં યોગદાન આપ્યું છે. શુક્રવારે એક્યૂઆઇ 370 પર હતી જે શનિવારના ઘટીને 336 થઇ ગયું છે. અઘિકારીએ કહ્યું કે તે જોવ મળ્યું છે કે પીએમ 2.5 ઉત્સર્જન 423 ટન પ્રતિ દિવસથી ઘટીને 370 ટન પ્રતિ દિવસ થઇ ગયું છે.

સંગઠને કહ્યું કે સોમવાર સાંજથી ભેજ વધારના સંભાવના છે. જ પ્રદુષણ સ્તરને વધારી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે, એક્યૂઆઇ સોમવારે ખુબ જ ખરાબના નીચલા સ્તર પર પોહંચવાની આશંકા છે. કેમ કે વાયુ મંડળ કુલ મળીને સાફ છે. આ વાત સોમવારે સાચી સાબિત થઇ છે.

દિલ્હી પ્રદુષણ નિયંત્રણ સમિતિ (ડીપીસીસી)એ ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસને નિર્દેશ આપ્યો છે કે તેઓ 1-10 નવેમ્બર વચ્ચે પ્રદુષણ વધારતા વાહનોની તપાસ કરે અને ટ્રાફિકની ભીડને નિયંત્રિત કરે. પ્રદુષણ ગતિવિધિઓની દેખરેખ રાથે. તાત્કાલીક કાર્યવાહી કરવા માટે 1-10 નવેમ્બર સુધી ક્લીન એર કેમ્પ ચલાવવામાં આવી રહ્યું છે. રવિવારે ટીમોને કુલ 83,55,000 રૂપિયાના કુલ દંડ વસુલ્યો છે.

દિલ્હી-એનસીઆરમાં આ અભિયાન અંતર્ગત શુક્રવાર અને શનિવારના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોથી કુલ 80 લાખ રૂપિયા દંડ વસુલવામાં આવ્યો છે. ટીમ દિલ્હી ઉપરાંત ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાઝીયાાદ અને નોઇડાના વિભિન્ન ભગોનો પ્રવાસ કરી રહ્યા છે.

દિલ્હીવાળાએ ગત ત્રણ સપ્તાહમાં ગંભીર શ્રેણીમાં ચાલી રહેલી હવાના સ્તરમાં સુધારનું સ્વાગત કર્યું ચે. મપૂર વિહારની નિવાસી સરિતા માથુરનું કહેવું છે કે, હું અઠવાડી બાદ તેમના બાળકો રમવા માટે બાહાર મોકલ્યા છે. મને આશા છે કે વાયુ ગુણવત્તા અંતત: સુધારશે અને અમને ચોખ્ખી દિવાળી ઉજવી શકીશું.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More