Home> India
Advertisement
Prev
Next

પીએમ મોદીએ હેમંત સોરેનને આપી શુભેચ્છા, જનતાનો માન્યો આભાર

પીએમ મોદીએ ચૂંટણીમાં મહેનત કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. 

પીએમ મોદીએ હેમંત સોરેનને આપી શુભેચ્છા, જનતાનો માન્યો આભાર

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા (Jharkhand Assembly Election 2019)ના ચૂંટણી પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી આવનારા સમયમાં ઝારખંડની જનતા સાથે જોડાયેલા મુદ્દાને સરકારની સામે ઉઠાવશે. પીએમ મોદીએ ચૂંટણીમાં મહેનત કરવા માટે પાર્ટી કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે. 

પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું, 'હું ઝારખંડના લોકોનો ધન્યવાદ આપુ છું કે તેમણે ભાજપને ઘણા વર્ષો સુધી રાજ્યની સેવા કરવાનો અવસર આપ્યો. હું પાર્ટીના મહેનતું કાર્યકર્તાઓની પણ તેના પ્રયાસો માટે પ્રશંસા કરુ છું. અમે આવનારા સમયમાં રાજ્યની સેવા અને લોકોને કેન્દ્રીત મુદ્દા ઉઠાવીશું.'

ઝારખંડમાં હાર પર શું બોલ્યા શાહ
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, 'અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપને 5 વર્ષ સુધી પ્રદેશની સેવા કરવાની જે તક આપી હતી તે માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ.' ભાજપ સતત પ્રદેશના વિકાસ માટે સમર્પિત રહેશે. તમામ કાર્યકર્તાઓને તેના પરિશ્રમ માટે અભિનંદન. 

ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં ઘણી રેલી સંબોધી હતી. તેમને 2014 બાદ ભાજપના ચાણક્ય માનવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલિક ચૂંટણીમાં પાર્ટીના હાથમાથી ઘણા રાજ્યો નિકળી ગયા છે. ચૂંટણી વિશ્લેષક તે પણ કહે છે કે, ગૃહપ્રધાન જેવું મહત્વનું પદ સંભાળ્યાને કારણે તેઓ પાર્ટીના વિસ્તારમાં વધુ સમય આપી શકતા નથી. પહેલા તેઓ ચૂંટણી વાળા રાજ્યોમાં બુથ સ્તર સુધીની રણનીતિ તૈયાર કરતા હતા અને તેને પોતાની દેખરેખમાં અંત સુધી પહોંચાડતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More