Home> India
Advertisement
Prev
Next

મોદીની શપથવિધી : વિદેશથી આવશે આ નેતાઓ, 8000 મહેમાનોને આમંત્રણ

PM Modi Oath Taking ceremmony: આ પ્રસંગે હંમેશની જેમ આ વર્ષે પણ પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે કયા દેશના કયા મહાનુભાવો PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે? જોઈશું આ રિપોર્ટમાં....

મોદીની શપથવિધી : વિદેશથી આવશે આ નેતાઓ, 8000 મહેમાનોને આમંત્રણ

PM Modi Oath Ceremony:  લોકસભાની ચૂંટણીમાં જનતાના જનાદેશ પછી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવખત પ્રધાનમંત્રી બનશે. નરેન્દ્ર મોદી અને તેમના મંત્રી પરિષદનો શપથગ્રહણ સમારોહ આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ પ્રસંગે હંમેશની જેમ આ વર્ષે પણ પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે કયા દેશના કયા મહાનુભાવો PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે? જોઈશું આ રિપોર્ટમાં....

રાષ્ટ્રપતિ તરફથી સરકાર બનાવવા માટેનું ભાજપના નેતૃત્વવાળા NDAને આમંત્રણ મળી ગયું છે. જેના કારણે આવતીકાલે સાંજે નરેન્દ્ર મોદી અને તેમનું મંત્રીમંડળ શપથ લેશે. આ પ્રસંગે ભારતના પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને વિશિષ્ટ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતે કયા વિદેશના મહાનુભાવોને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું છે તેના પર નજર કરીએ તો....

Kisan Samman Nidhi: ભાજપ સરકારની મોટી ભેટ, હવે ખેડૂતોને ₹6000 નહી પણ પુરા ₹8000 મળશે
2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ
સેશલ્સ દેશના ઉપરાષ્ટ્પતિ અહમદ અફીક
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ
ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબગે

આ તમામ મહાનુભાવોને આમંત્રણ મોકલાયું હતું અને તેમણે તેનો સ્વીકાર પણ કરી લીધો છે. પાડોશી દેશ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે નવી દિલ્લી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

2400 રૂપિયે કિલો સુધી વેચાય છે આ બોર જેવડો દાણો, આ રીતે ખેતી કરો બનો 'ધનવાન ખેડૂત'

કાલે શપથવિધિ, ગ્રાન્ડ કાર્યક્રમ
મોદી સરકાર 3.0ની શપથવિધિની તૈયારી
પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ
શપથવિધિને ગ્રાન્ડ બનાવવાની તૈયારી
આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ
8000થી વધુ મહેમાનો માટેની વ્યવસ્થા

કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવ
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

વિદેશથી આવેલા મહાનુભાવો શપથ ગ્રહણ સમારોહમાં તો હાજરી આપશે ત્યારબાદ આ નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ડીનરમાં ભાગ લેશે. ભારતના પાડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના દેશના નેતાઓના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાની પાછળ નેબર ફર્સ્ટ પોલિસીને ધ્યાનમાં રાખવામાં આવી છે. 

રાષ્ટ્રપતિ ભવનમાં 8000થી વધારે મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પછી પીએમ મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવનારા બીજા ભારતીય નેતા છે. હજુ તો નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર શપથ પણ નથી લીધા તે પહેલાં ભાજપના એક નેતાએ તેમના ચોથા પીએમ પદની આગાહી કરી દીધી છે. હાલ તો નવી દિલ્લીમાં ઉજવણીનો માહોલ છે. કેમ કે મોદી સરકાર 3.0ની શપથવિધિ યોજાવાની છે ત્યારે આશા રાખીએ કે ગઠબંધન સરકાર લોકોના વિકાસના કાર્યો કરે.

Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલ
Saturday: શનિવારે કરેણના ફૂલથી કર્યો આ ઉપાય, પલટાઇ જશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More