Home> India
Advertisement
Prev
Next

PM મોદીની જાહેરાત, હવેથી 16 જાન્યુઆરીએ મનાવાશે National Start-Up Day

Start-Up India ના 6 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન દેશમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દેશના તમામ સ્ટાર્ટ-અપ્સને, તમામ ઇનોવેટિવ યુવાનોને અભિનંદન આપું છું

PM મોદીની જાહેરાત, હવેથી 16 જાન્યુઆરીએ મનાવાશે National Start-Up Day

નવી દિલ્હી: દેશનું ભવિષ્ય કેવું હોવું જોઈએ તેના માટે PM Narendra Modi એ શનિવારે ભાવિ ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી. Start-Up India ના 6 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાતચીત દરમિયાન દેશમાં ઉભરતા સ્ટાર્ટઅપ્સની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું દેશના તમામ સ્ટાર્ટ-અપ્સને, તમામ ઇનોવેટિવ યુવાનોને અભિનંદન આપું છું, જેઓ સ્ટાર્ટ-અપ્સની દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો કરી રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સની આ સંસ્કૃતિ દેશના છેવાડાના ભાગો સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસની ઉજવણી કરવાની જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું દેશના તમામ સ્ટાર્ટ-અપ્સને, તમામ ઇનોવેટીવ યુવાનોને અભિનંદન આપું છું, જેઓ સ્ટાર્ટ-અપ્સની દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો કરી રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સની આ સંસ્કૃતિ દેશના છેવાડાના ભાગો સુધી પહોંચે તે માટે, 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટ-અપ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

'આ ભારતનું Techade છે'
પીએમ મોદીએ જણાવ્યું છે કે, 'આ દાયકાને ભારતનો Techade (ટેકનોલોજીનો દાયકો) કહેવામાં આવે છે. આ દાયકામાં Innovation, entrepreneurship અને start-up ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર મોટા પ્રમાણમાં ફેરફારો કરી રહી છે.

તેમણે સરકારી પ્રક્રિયાની જાળમાંથી ઉદ્યોગસાહસિકતા, નવીનતાને મુક્ત કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે institutional mechanism બનાવવું પડશે.

નાનપણથી જ નવીનતા વધારવાના પ્રયત્નો
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 'અમારો પ્રયાસ દેશમાં નાનપણથી જ Studentsમાં ઈનોવેશન પ્રત્યે આકર્ષણ પેદા કરવા, ઈનોવેશનને સંસ્થાકીય બનાવવાનો છે. 9 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ આજે બાળકોને શાળાઓમાં નવીનતા લાવવાની, નવા વિચારો પર કામ કરવાની તક આપી રહી છે.

તેમણે જણાવ્યું કે નવા ડ્રોન નિયમથી લઈને નવી સ્પેસ પોલિસી સુધી સરકારની પ્રાથમિકતા વધુને વધુ યુવાનોને ઈનોવેશનની તક આપવાની છે. તેમણે કહ્યું કે સરકારે આ માટે IPR Registration ની પ્રક્રિયાને સરળ બનાવી છે.

ઈનોવેશનમાં ભારતનું વર્લ્ડ રેન્કિંગ સુધર્યું
તેમણે જણાવ્યું, 'ઈનોવેશનને લઈને ભારતમાં જે ઝુંબેશ ચાલી રહી છે તેની અસર એ છે કે વૈશ્વિક ઈનોવેશન ઈન્ડેક્સ (Global Innovation Index)માં ભારતની રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે. વર્ષ 2015માં ભારત આ રેન્કિંગમાં 81મા નંબરે હતું. હવે ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત 46માં નંબર પર છે.

સ્ટાર્ટઅપ્સ બનશે 'નવા ભારત'નો આધાર 
પીએમ મોદીએ જણાવ્યું છે કે દેશના સ્ટાર્ટઅપ ઉદ્યોગમાં મોટો ફેરફાર લાવી રહ્યું છે. તેથી જ હું માનું છું કે સ્ટાર્ટઅપ્સ 'નવા ભારત'નો મુખ્ય આધાર બનશે.

પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2013-14માં જ્યાં 4 હજાર પેટન્ટને મંજૂરી આપવામાં આવી હતી, ત્યાં ગત વર્ષે 28 હજારથી વધુ પેટન્ટ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2013-14માં જ્યાં લગભગ 70 હજાર ટ્રેડમાર્ક રજીસ્ટર થયા હતા, ત્યાં 2020-21માં 2.5 લાખથી વધુ ટ્રેડમાર્ક નોંધાયા છે. એ જ રીતે, વર્ષ 2013-14માં જ્યાં માત્ર 4 હજાર કોપીરાઈટ ગ્રાન્ટ કરવામાં આવ્યા હતા, ગયા વર્ષે તેમની સંખ્યા વધીને 16 હજારથી વધુ થઈ ગઈ હતી.

ગત વર્ષે 42 કંપનીઓ બની યુનિકોર્ન 
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગત વર્ષે દેશમાં 42 કંપનીઓ યુનિકોર્ન બની હતી. તેમણે કહ્યું, 'હજારો કરોડ રૂપિયાની આ કંપનીઓ આત્મનિર્ભર બની ગઈ હોત, જે આત્મવિશ્વાસુ ભારતની ઓળખ છે. આજે ભારત યુનિકોર્નની સદી સ્થાપવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હું માનું છું કે ભારતીય સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણ યુગ હવે શરૂ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More