નવી દિલ્હી/ હોશંગાબાદઃ વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસના લોકોને માદી પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે કે તેઓ મોદીની હત્યા કરવા સુધીનું સપનું જોવા લાગ્યા છે. તેની સાથે જ પીએમ મોદીએ ભોપાલના કોંગ્રેસના ઉમેદવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું હતું.
સિદ્ધુનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે, "મેં સાંભળ્યું છે કે કોંગ્રેસના એક બહાદ્દુરે કહ્યું છે કે મોદીને એવો છક્કો મારો કે સરહદ પાર જઈને મરે. કોંગ્રેસના લોકોને મોદી પ્રત્યે એટલી નફરત થઈ ગઈ છે કે તેઓ મોદીને મારી નાખવા સુધીના સપના જોવા લાગ્યા છે. કોંગ્રેસ એ ભુલી ગઈ છે કે મોદી તરફથી સમગ્ર હિન્દુસ્તાનની જનતા બેટિંગ કરી રહી છે."
LIVE : PM Shri @narendramodi is addressing a public meeting in Hoshangabad, Madhya Pradesh. #DeshBoleModiPhirSe https://t.co/YMif9KnkLG
— BJP (@BJP4India) May 1, 2019
દિગ્વિજયને પણ લીધા આડે હાથ
વડાપ્રધાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ જાકિર નાઈકની પ્રશંસા કરવાથી થાકતા નથી. તાજેતરમાં જ શ્રીલંકામાં જે બોમ્બ વિસ્ફોટ થયા છે ત્યાર પછી ત્યાંની સરકારકે જાકિર નાઈકની ટીવી ચેનલ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. શું તમે જાણો છો આ જાકિર નાઈક કોણ છે? આ એ જ છે જેના દરબારમાં જઈને દિગ્ગી રાજા તેમની પ્રશંસા કરતાં થાકતા ન હતા.
ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
પીએમમે કહ્યું કે, કોંગ્રેસે મધ્યપ્રદેશના ખેડૂતો પાસેથી એમ કહીનો વોટ લીધા હતા કે 10 દિવસમાં રૂ. 2 લાખ સુધીનું ધિરાણ માફ કરીશું. આ 10 દિવસ ક્યારે પુરા થશે એ કહેવા કોઈ તૈયાર નથી. યુવાનોને બેરોજગારી ભત્થાની વાત પણ હજુ સુધી હવામાં છે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આજે એવા લોકોની પડખે ઊભી છે જે એમ કહે છે કે જમ્મુ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાન હોવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે