નવી દિલ્હીઃ અભિનેત્રીમાંથી તૃણમુલ કોંગ્રેસની સાંસદ બનેલી નુસરત જહાં આજકાલ પોતાના પતિ નિખિલ જૈન સાથે માતા દુર્ગાની ઉપાસનામાં લીન છે. જોકે, દેવબંદના ઉલેમાઓને નુસરતની આ દુર્ગા પૂજા પસંદ આવી નથી. જેના કારણે હવે તેમણે નુસરત સામે જાત-જાતના નિવેદનો આપવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રવિવાર અને સોમવારે દુર્ગાષ્ટમી અને નોમના નિમિત્તે નુસરતે પોતાના પતિ સાથે મળીને દુર્ગા માતાની આરતી ઉતારી હતી અને આનંદ-ઉલ્લાસ સાથે ઢોલ વગાડ્યો હતો. હકીકતમાં ઢોલ વગાડવો અને નાચવું પણ દુર્ગા પૂજાનો જ એક ભાગ છે. હવે દેવબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ આ નૃત્યને ઈસ્લામ અનુસાર હરામ જાહેર કર્યું છે.
ભાજપનો તોડ શોધવા માટે કોંગ્રેસ તેના નેતાઓને આપશે 'રાષ્ટ્રવાદ'ની તાલીમ!
નુસરતના દુર્ગા પૂજાના આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થયા છે, પરંતુ દેબંદના ઉલેમા મુફ્તી અસદ કાસમીએ જણાવ્યું કે, નુસરતે ગેર-ઈસ્લામી કામ કર્યું છે. તે પોતાનું નામ બદલી શકે છે, પરંતુ મુસલમાન અને ઈસ્લામને શા માટે બદનામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, નુસરત પ્રત્યે ઈસ્લામી ધર્મ ગુરૂઓની નારાજગી આ પ્રથમ વખત નથી જોવા મળી. આ અગાઉ જ્યારે તે સેંથામાં સિંદૂર ભરીને સંસદ ભવન પહોંચી હતી ત્યારે પણ તેનો વિરોધ થયો હતો. એ સમયે નુસરતે જવાબ આપ્યો હતો કે, તે પોતાના ધર્મનું સન્માન કરે છે અને આજીવન મુસ્લિમ જ રહેશે. ઉલ્લેખનીય છે કે, નુસરત જહાં પશ્ચિમ બંગાળની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં જ તેણે નિખલ જૈન નામના એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે