Home> India
Advertisement
Prev
Next

Corona: દિલ્હીમાં આજે 5100થી વધુ કેસ, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગૂ

કોરોના (Corona Virus) સંક્રમણ ઓછું થવાનું નામ જ લેતું નથી. દિલ્હીના હાલાત પણ ખુબ ચિંતાજનક છે. હાલ કોરોનાની સ્થિતિ જોતા દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે. 
 

Corona: દિલ્હીમાં આજે 5100થી વધુ કેસ, રાજ્યમાં આજથી નાઇટ કર્ફ્યૂ લાગૂ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા મામલામાં મોટો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5100 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 17 દર્દીઓના મૃત્યુ થયા છે. 27 નવેમ્બર બાદ આજે પ્રથમવાર એક દિવસમાં 5000થી વધુ કેસ સામે આવ્યા છે. 

રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે કોરોનાના 3548 નવા કેસ સામે આવ્યા હતા અને 45 લોકોના મૃત્યુ થયા હતા. દિલ્હીમાં અત્યાર સુધી 6,85,062 લોકો સંક્રમિત થયા છે અને 11,113 દર્દીઓના મૃત્યુ થયા છે. 

દિલ્હીમાં રાત્રી કર્ફ્યૂ
કોરોના (Corona Virus) સંક્રમણ ઓછું થવાનું નામ જ લેતું નથી. દિલ્હીના હાલાત પણ ખુબ ચિંતાજનક છે. હાલ કોરોનાની સ્થિતિ જોતા દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાતે 10 વાગ્યાથી લઈને સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે. 

આ પણ વાંચોઃ દેશમાં દરેક વયસ્કને Corona vaccine આપવાની સલાહને કેન્દ્ર સરકારે નકારી 

દિલ્હી સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી નાઈટ કર્ફ્યૂની ગાઈડલાઈન મુજબ આ દરમિાયન ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. જે લોકો રસી મૂકાવવા માંગતા હોય તેમને છૂટ મળશે પરંતુ ઈ પાસ લેવો પડશે. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. 

આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આઈડી કાર્ડ દેખાડવા પર પ્રાઈવેટ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ છૂટ મળશે. કાયદેસર ટિકિટ બતાવવા પર એરપોર્ટ, બસ રેલવે સ્ટેશન જવા આવવા માટે મુસાફરોને છૂટ અપાશે. ગર્ભવતી મહિલાઓ અને સારવાર માટે આવનારા દર્દીઓને પણ છૂટ મળશે. 

આ પણ વાંચોઃ Corona: આગામી 30 દિવસ ખતરનાક, કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી

પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે બસ, દિલ્હી મેટ્રો, ઓટો, ટેક્સીઓ વગેરેને નિર્ધારિત સમય બાદ એ જ લોકોને લઈ જવાની છૂટ અપાશે તેમને નાઈટ કર્ફ્યૂમાં છૂટ અપાઈ છે. જરૂરી સેવાઓમાં લાગેલા તમામ વિભાગોના લોકોને છૂટ અપાશે. દિલ્હી સરકારના આદેશમાં કહેવાયું છે કે ટ્રાફિક મૂવમેન્ટને લઈને કોઈ રોકટોક રહેશે નહીં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More