Home> India
Advertisement
Prev
Next

PMના કાશ્મીર પર નિવેદનથી PAK સ્તબ્ધ, અબ્દુલ્લાએ કહ્યું-'મોદી સાહેબ આભાર, અમારા મનની વાત કરી'

નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થઈ રહેલી મારપીટ, ગેરવર્તણૂંક વિરુદ્ધ પીએમ મોદીએ આપેલા નિવેદન બદલ શનિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. અબ્દુલ્લાએ એક ટ્વિટ કરીને કહ્યું કે 'નરેન્દ્ર મોદી સાહેબ, તમારો આભાર, આજે તમે મારા મનની વાત કરી નાખી.'

PMના કાશ્મીર પર નિવેદનથી PAK સ્તબ્ધ, અબ્દુલ્લાએ કહ્યું-'મોદી સાહેબ આભાર, અમારા મનની વાત કરી'

શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ પુલવામા આતંકી હુમલા બાદ કાશ્મીરીઓ સાથે થઈ રહેલી મારપીટ, ગેરવર્તણૂંક વિરુદ્ધ પીએમ મોદીએ આપેલા નિવેદન બદલ શનિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો અને આશા વ્યક્ત કરી કે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય. અબ્દુલ્લાએ એક ટ્વિટ કરીને કહ્યું કે 'નરેન્દ્ર મોદી સાહેબ, તમારો આભાર, આજે તમે મારા મનની વાત કરી નાખી.'

PM મોદીના હસ્તે આજથી ખેડૂત યોજનાની શરૂઆત, આ રાજ્યોના ખેડૂતોને મળશે 2,000 રૂપિયા

<

અત્રે જણાવવાનું કે શનિવારે રાજસ્થાનના ટોંકમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 'અમારી લડાઈ કાશ્મીર માટે છે, કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. તેમણે કહ્યું હતું કે મારા કાશ્મીરના લાલ દેશમાં ગમે ત્યાં હોય, તેમની સુરક્ષા કરવી એ દરેક નાગરિકની ફરજ છે. કાશ્મીરીઓ સાથે જે થઈ રહ્યું છે તે થવું જોઈએ નહીં.'

નેશનલ કોન્ફન્સના નેતાએ કહ્યું કે 'પુલવામા આતંકી હુમલાને અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો અને એક સપ્તાહથી પણ વધુ સમયથી કાશ્મીરીઓ જનાક્રોશનો સામનો કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ અંગે પોતાની વાત રજુ  કરી, કદાચ હવે કાશ્મીરીઓને નિશાન બનાવનારી તાકાતો પોતાના હુમલા બંધ કરશે.'

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More