Home> India
Advertisement
Prev
Next

નરસંહાર: દિકરો બન્યો દાનવ, પત્ની સહિત પરિવારના 8 લોકોને પતાવી નાખ્યા, પછી પોતે લટકી ગયો

મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની સામૂહિક હત્યાથી સનસની ફેલાઇ ગઇ છે. હત્યાની ઘટનાને ઘરના સભ્યએ જ અંજામ આપ્યો હતો. 

નરસંહાર: દિકરો બન્યો દાનવ, પત્ની સહિત પરિવારના 8 લોકોને પતાવી નાખ્યા, પછી પોતે લટકી ગયો
Karnal KumarDushyant|Updated: May 29, 2024, 05:02 PM IST

family members murder: મધ્ય પ્રદેશના છિંદવાડામાં એક જ પરિવારના 8 લોકોની કુહાડી વડે કાપીને હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાંના એક નાનકડા ગામમાં એવો હત્યાકાંડ સર્જાયો કે લોકો સ્તબ્ધ રહી ગયા છે. એક જ પરિવારના 8 લોકોની કુલ્હાડીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ, જ્યારે એક વ્યક્તિ દોરડા સાથે ફાંસો ખાઈને લટકતો જોવા મળ્યો ત્યારે કોણ છે આ સામુહિક હત્યાકાંડનો આરોપી અને કેમ જ પરિવારના 8 લોકોની થઈ હત્યા જોઈએ આ રિપોર્ટમાં... 

મધ્યપ્રદેશના છીંદવાડામાં આ સામુહિક હત્યાકાંડ ખેલાયો હતો. ગામના લોકોને કંઈક અજૂગતુ બન્યાની જાણ થતાં તપાસ કરી તો આદીવાસી પરિવારના ઘરમાં 8-8 લોકોની કુલ્હાડીથી ગળા કાપ્યા હોય તેવી સ્થિતિમાં લાશ પડી હતી, તો ઘરના જુવાનજોધ દીકરાની લાશ દોરડાં સાથે લટકતી હાલતમાં મળી હતી. પોલીસને ઘટનાની જાણ કરાતા એસપી સહિતના પોલીસ અધિકારીઓ પહોંચ્યા અને તપાસ હાથ ધરી છે. પોલીસે તપાસ હાથ ધરી તો ખુલાસો થયો કે એક પરિવારના 8 લોકોનો હત્યારો બીજો કોઈ નહીં ઘરનો જ દીકરો હતો. 

પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે પરિવારજનોને મોતના ઘાટ ઉતારનાર યુવક માનસિક બીમાર છે.  મહત્વનું છે કે હત્યારા યુવકના લગ્ન એક અઠવાડિયા પહેલા જ થયા છે ત્યારે આ સનકી યુવકે પોતાની નવપરણિત પત્નીને પણ મોતના ઘાટ ઉતારી દીધી છે. આ યુવકે પોતાના પરિવારજનોને કેમ મોતના ઘાટ ઉતારી દીધા, તે હજુ સામે નથી આવ્યું. પરંતુ અંતરિયાળ વિસ્તારના નાનકડા એવા ગામના આખા પરિવારની હત્યા થઈ જતાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે