Home> India
Advertisement
Prev
Next

નરેન્દ્ર મોદીએ PM પદ મેળવ્યું, મનમોહન સિંહને ઓફર કરવામાં આવી: પ્રણવ મુખર્જી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા નિર્ણાયક જનાદેશે સ્પષ્ટ રીતે સૂચવેલ કે જનતા રાજકીય સ્થિરતા ઈચ્છતી હતી. તેના અનુસાર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ કમાયું

નરેન્દ્ર મોદીએ PM પદ મેળવ્યું, મનમોહન સિંહને ઓફર કરવામાં આવી: પ્રણવ મુખર્જી

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને મળેલા નિર્ણાયક જનાદેશે સ્પષ્ટ રીતે સૂચવેલ કે જનતા રાજકીય સ્થિરતા ઈચ્છતી હતી. તેના અનુસાર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રીનું પદ કમાયું. સ્વર્ગસ્થ મુખર્જીએ તેમના સંસ્મરણો 'ધ પ્રેસિડેન્શિયલ યર્સ, 2012-2017'માં પણ ઉલ્લેખ કર્યો હતો કે મોદી 'જનતાની લોકપ્રિય પસંદગી'ના રૂપમાં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જ્યારે મનમોહન સિંહને આ પદ માટે 'સોનિયા ગાંધી' દ્વારા ઓફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- વેક્સીન માટે નથી થઈ કોઈ એપ લોન્ચ, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ચેતવ્યા

ધ પ્રેસિડેન્શિયલ યર્સ
રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક મંગળવારે બજારમાં આવ્યું હતું, પુસ્તકમાં પ્રણવ મુખર્જીએ લખ્યું છે કે દરેક સામાન્ય ચૂંટણીઓનું પોતાનું મહત્વ હોય છે, કારણ કે તે મુદ્દાઓ પર મતદારોના મંતવ્યો પ્રતિબિંબિત થાય છે, જેના પર તેઓ ચર્ચા કરે છે. તેમણે કહ્યું, 2014ની સામાન્ય ચૂંટણીના પરિણામો બે કારણોસર ઐતિહાસિક હતા. પહેલું એ છે કે ત્રણ દાયકા પછી પાર્ટીને ખંડિત જનાદેશની જગ્યાએ નિર્ણાયક જનાદેશ મળ્યો. બીજું, ભાજપે પહેલીવાર બહુમત હાંસલ કરી છે. તઓ તેમના દમ પર સરકાર રચવામાં સફળ રહ્યા હતા પરંતુ તેમ છતાં તેમણે ગઠબંધન સાથે સરકાર બનાવવાનું નક્કી કર્યું.

આ પણ વાંચો:- Farmers Protest: KMP પર ઉતરશે કિસાન, ગાઝિયાબાદ અને પલવલથી નીકળશે ટ્રેક્ટર રેલી

તેમણે કહ્યું, પરંતુ વાસ્તવિક વિજેતાઓ એવા મતદારો હતા કે જેઓ મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા હતા અને નિર્ણાયક રીતે મતદાન કર્યું હતું અને રાજકીય સ્થિરતા માટેની પસંદગીને સૂચવી હતી. પ્રજા માને છે કે આ વિકાસલક્ષી રાજકારણને વેગ આપશે. મુખર્જીએ કહ્યું કે તેઓ માને છે કે ગઠબંધનનાં રાજકારણમાં અને રાજકીય પક્ષોની સગવડમાં લોકો રાજકારણ બદલીને કંટાળી ગયા છે. તેમણે કહ્યું, સામાન્ય રીતે એક પક્ષ અથવા કોઈ ખાસ વ્યક્તિને સત્તામાં આવતા અટકાવવા માટે ગઠબંધન બનાવવામાં આવે છે.

આ પણ વાંચો:- જ્યારે બીમાર કર્મચારીના હાલ પૂછવા તેના ઘરે પહોંચ્યા Ratan Tata, પછી...

બંને PM સાથે કામ કર્યું હતું પ્રણવ મુખર્જીએ
પીએમ મોદી અને મનમહન સિંહની તુલના કરતા મુખર્જીએ કહ્યું કે બંનેના પ્રધાનમંત્રી બનવાની રીત ઘણી જુદી હતી. રાષ્ટ્રપતિ મુખર્જીએ મોદી અને સિંહ બંને સાથે કામ કર્યું હતું. તેમણે લખ્યું, સોનિયા ગાંધી દ્વારા ડોક્ટર સિંહને આ પોસ્ટની ઓફર કરવામાં આવી હતી, જેમને કોંગ્રેસ સંસદીય પાર્ટી અને યુપીએના અન્ય ઘટકો દ્વારા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે (સોનિયા) આ ઓફરને ઠુકરાવી હતી. '

આ પણ વાંચો:- નબળા સૈનિકોને Super Soldier બનાવવા માંગે છે China, આ ટેકનોલોજી પર કરી રહ્યું છે કામ

લોકોને પસંદ આવી ભાઈ નરેન્દ્ર મોદીની છબી
તેમણે લખ્યું હતું કે બીજી બાજુ, "મોદીએ 2014માં ભાજપના ઐતિહાસિક વિજયની આગેવાની લીધી હતી અને પ્રધાનમંત્રી પદ માટે લોકોની પસંદગી બન્યા હતા. તે મૂળભૂત રીતે રાજકારણી છે અને ભાજપે પાર્ટીના ચૂંટણી પ્રચારમાં જતા પહેલા જ તેમને પ્રધાનમંત્રી પદ માટેના ઉમેદવાર બનાવ્યા હતા. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમની છબી લોકોને પસંદ આવી હતી. તેમણે પ્રધાનમંત્રી પદ મેળવ્યું છે. મુખર્જીએ તેમના પુસ્તકમાં એમ પણ કહ્યું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન મોદી સાથે સૌમ્ય સંબંધો હતા. તેમણે કહ્યું, જો કે, નીતિના મુદ્દાઓ પર હું તેમને મારી સલાહ આપવામાં કચકચ કરતો ન હતો. એવા પણ ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે મેં કોઈ મુદ્દા પર મારી ચિંતા વ્યક્ત કરી છે અને તેઓ પણ તેના પર સંમત થયા છે.

આ પણ વાંચો:- Researchમાં થયો મોટો ખુલાસો, હવે જાણી શકાય છે તમારા માતનો સમય!

જનતાની અપેક્ષાઓ પર ખરી ઉતરવામાં નિષ્ફળ ગઈ કોંગ્રેસ
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન અંગે તેમણે લખ્યું કે, સત્યને નકારી શકાય નહીં કે કોંગ્રેસ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પર ખરી ઉતરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. ચૂંટણી પ્રચારના અંત પછી, જ્યારે તમામ ચૂંટણી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી, ત્યારે કોંગ્રેસના ઘણા અગ્રણી નેતાઓ અને મંત્રી રાષ્ટ્રપતિ ભવનમાં મને મળ્યા હતા. મજાની વાત તો એ છે કે, કોંગ્રેસ અથવા યુપીએને બહુમતી મળશે તેવી અપેક્ષા પણ કોઈએ કરી નહોતી. '

આ પણ વાંચો:- 

તેમણે કહ્યું, જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેમને વિદેશી બાબતોનો લગભગ કોઈ અનુભવ નહોતો. તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલાક દેશોની મુલાકાત લીધી હતી પરંતુ તે મુલાકાતો તેમના રાજ્યની સુખાકારીને લગતી હતી. તેમને ઘરેલું અથવા વૈશ્વિક વિદેશ નીતિ સાથે બહુ ઓછું લેવાદેવા છે. તેથી વિદેશ નીતિ એક એવું ક્ષેત્ર હતું જેના માટે તે પરિચિત ન હતા. તેમણે લખ્યું, પરંતુ તેમણે એવું કંઇક કર્યું જેનો કોઈ અન્ય પ્રધાનમંત્રીએ પહેલાં પ્રયાસ કર્યો ન હતો. તેમણે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ સહિતના સાર્ક દેશોના વડાઓને 2014ના પ્રથમ શપથવિધિ માટે આમંત્રિત કર્યા હતા. પરંપરાને તોડતા તેમના નિર્ણયથી વિદેશ નીતિના જાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More