Home> India
Advertisement
Prev
Next

સાળી બની ગઈ પૂરી ઘરવાળી : જીજાજી લગ્નમાં ગયા અને વરરાજા બની ગયા, જબરદસ્ત છે સ્ટોરી

Samuhik Vivah Yojna: લગ્ન સમારોહમાં વરરાજા ન આવતાં સામૂહિક લગ્નનું આયોજન કરનારા અધિકારીઓએ વરરાજાને બદલે વરરાજાના જીજાજી સાથે છોકરીના લગ્ન કરાવ્યા હતા.

સાળી બની ગઈ પૂરી ઘરવાળી : જીજાજી લગ્નમાં ગયા અને વરરાજા બની ગયા, જબરદસ્ત છે સ્ટોરી

Ballia Samuhik Vivah Fraud: ના હોય એવું હોતું હશે પણ આ સાચી વાત છે. લગ્ન પછી તરત જ દુલ્હન પોતે માંગમાં ભરેલું સિંદૂર લૂછતી જોવા મળી હતી. બાદમાં જ્યારે વર-કન્યા સાથે અલગ-અલગ વાત કરવામાં આવી ત્યારે તેઓએ આ હકીકત સ્વીકારી હતી. દુલ્હનના જીજાજી અને કથિત વરએ જણાવ્યું કે દુલ્હનનો વરરાજા આવ્યો નહોતો. આ એક સામૂહિક વિવાહનો કાર્યક્રમ હતો. જેમાં ફર્જીવાડાનો ખુલાસો થયો હતો. 

મીઠા મધ જેવા શક્કરિયા ખરીદવા હોય તો અપનાવો આ ટિપ્સ, વેપારી નહી બનાવી શકે ઉલ્લું
South India: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે સાઉથના આ 5 સ્થળ, જન્નત જેવો થશે અહેસાસ

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના હેઠળ કરાવાતા લગ્નમાં છેતરપિંડી સામે આવી છે. સામૂહિક લગ્ન સમારોહમાં એક એવા લગ્ન થયા જે સામે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પર સવાલો ઉભા કર્યા. લગ્ન સમારોહમાં વરરાજા ન આવતાં સામૂહિક લગ્નનું આયોજન કરનારા અધિકારીઓએ વરરાજાને બદલે વરરાજાના જીજાજી સાથે છોકરીના લગ્ન કરાવ્યા હતા. આ બાબત ચર્ચામાં આવતા જ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. મામલાની તપાસ કરવા માટે અધિકારીઓના વાહનો યુવતીના ઘર તરફ દોડી ગયા હતા.

Budhwar Remedies: ડોન્ટ વરી બધુ વેલ સેટ થઇ જશે, બગડેલી બાજી સુધરી જશે
કોઇને કહ્યા વિના હોળીની રાત્રે ગુપચૂપ કરજો આ ઉપાય, ધમાધમ થશે રૂપિયાનો વરસાદ

હવે આ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. લગ્ન પછી તરત જ દુલ્હને પોતે માંગથી ભરેલું સિંદૂર લૂછતી જોવા મળી હતી. બાદમાં જ્યારે વર-કન્યાને અલગ-અલગ વાત કરવામાં આવી ત્યારે તેઓએ આ હકીકત સ્વીકારી લીધી હતી. દુલ્હનના જીજાજી અને કથિત વરે જણાવ્યું કે દુલ્હનનો જોડીદાર આવ્યો નહોતો. આના પર, સમાજ કલ્યાણ વિભાગના એક અધિકારીના કહેવા પર, છોકરીના જીજાજીએ વર બનીને લગ્ન કરી લીધા. લગ્ન સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવ્યા હતા.

જે પણ આ આઇલેંડનો માલિક બન્યું, તેની પાછળ પડી જાય છે 'મોતનો સાયો'
શું તમને ખબર છે? કેવા પ્રકારની છીંક ગણાય છે શુભ, દરેક છીંકનો હોય છે અલગ મતલબ

સમાજ કલ્યાણ અધિકારી લલિતા યાદવે કહ્યું કે આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે અને તપાસ કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે મામલો વેગ પકડ્યા બાદ વિભાગીય અધિકારીઓ તપાસ માટે બામોર ગામ દોડી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તપાસમાં જે પણ દોષી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે લગ્ન સમારોહમાં હાજરી આપી રહેલા એક યુગલને જોયા અને મામલો શંકાસ્પદ લાગ્યો.

Mahashivaratri 2024: શિવલિંગ પર અર્પિત કરો આ 5 વસ્તુ, ખૂલી જશે બંધ કિસ્મતના તાળા
મહાશિવરાત્રિના દિવસે બિલીપત્ર ચઢાવતાં પહેલાં જાણી લો નિયમ,આ દિવસે તોડશો તો લાગશે પાપ

તપાસમાં જાણવા મળ્યું કે ઝાંસીના બામોરની રહેવાસી કન્યા ખુશીના લગ્ન મધ્યપ્રદેશના છતરપુરની બ્રિશભાન સાથે નક્કી થયા હતા. સમારંભમાં તેમનો રજીસ્ટ્રેશન નંબર 36 હતો. જ્યારે દુલ્હનને ખબર પડી કે તેના લગ્ન તેના જીજાજી સાથે થયા છે. આ પછી, ખુશીએ ફેરા લેતાંની સાથે જ માંગમાં ભરેલું સિંદૂર અને બિંદી લૂછી દીધી હતા. જ્યારે વરરાજા બ્રિશભાન સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું કે ખરેખર તેનું નામ દિનેશ છે અને તે છતરપુરનો નહીં પણ બામોરનો છે. તેણે કહ્યું કે લગ્ન બ્રિશભાન સાથે થવાના હતા પરંતુ તે જાન લઈને આવ્યો ન હતો. જેથી વિભાગના કેટલાક લોકોની સલાહ પર તે બ્રિશભાનની જગ્યાએ વર બન્યો. તેણે એ પણ જણાવ્યું કે તે પહેલેથી જ પરિણીત છે અને ખુશીનો જીજાજી છે.

આ ફોન નહી 'લાઉડસ્પીકર' છે! મોટા સ્પીકર કરતાં 600% વધુ ફેંકે છે સાઉન્ડ
Google free માં ઓફર કરી રહ્યું છે ઓનલાઇન AI કોર્સ, આ રહી પુરી ડિટેલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More