નવી દિલ્હી: ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે.
આ અગાઉ ભાજપે શુક્રવારે જેજેપી સાથે ગઠબંધન કરી લીધુ જેમણે 90માંથી 10 બેઠકો જીતી છે. જેજેપીના ફાળે નાયબ મુખ્યમંત્રીનું પદ ગયું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાની સાથે એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે મુખ્યમંત્રી ભાજપમાંથી અને નાયબ મુખ્યમંત્રી સ્થાનિક પક્ષ જેજેપીમાંથી હશે.
હરિયાણામાં ભાજપને દુષ્યંત ચૌટાલાની JJPનો સાથ મળતા કોંગ્રેસ ભડકી, કહ્યું- 'આખરે પોલ ખુલી ગઈ'
શાહે કહ્યું કે હરિયાણામાં વોટરોના જનાદેશની સાથે જતા બંને પાર્ટીઓએ નિર્ણય લીધો છે કે ભાજપ અને જેજેપી સાથે મળીને સરકાર બનાવશે. મુખ્યમંત્રી ભાજપમાંથી હશે જ્યારે નાયબ મુખ્યમંત્રી જેજેપીમાંથી રહેશે. તેમણે કહ્યું કે ગઠબંધન જનાદેશની ભાવના મુજબ છે. પ્રેસ કોન્ફરન્સમાં શાહ અને ચૌટાલા ઉપરાંત ખટ્ટર અને ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યાં હતાં.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે ગુરુવારના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને 40 બેઠકો મળ્યા બાદ પાર્ટીના ટોચના નેતાઓ સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગયા હતાં. ભાજપને બહુમતીના આંકડા કરતા 6 બેઠકો ઓછી મળી હતી. સાત અપક્ષોએ પણ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે