Home> India
Advertisement
Prev
Next

Mann Ki Baat: PM મોદીએ કરી 'મન કી બાત', દીવ અને 'સૌરાષ્ટ્રી તમિલ'નો ખાસ કર્યો ઉલ્લખ

Mann Ki Baat Live Update 99th Episode: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 99માં એપિસોડને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે, લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી. 

Mann Ki Baat: PM મોદીએ કરી 'મન કી બાત', દીવ અને 'સૌરાષ્ટ્રી તમિલ'નો ખાસ કર્યો ઉલ્લખ

Mann Ki Baat Live Update 99th Episode: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓ સાથે મન કી બાત કરી. પીએમ મોદીએ આજે મન કી બાત કાર્યક્રમના 99માં એપિસોડને સંબોધિત કર્યું. પીએમ મોદીએ કહ્યું કે આપણા દેશમાં પરમાર્થને એટલું ઉપર રાખવામાં આવ્યું છે કે બીજાના સુખ માટે, લોકો પોતાનું સર્વસ્વ દાન કરવામાં પણ સંકોચ કરતા નથી. આથી તો આપણને બાળપણથી શિવિ અને દધિચિ જેવા દેહદાનીઓની ગાથાઓ સંભળાવવામાં આવે છે. આધુનિક મેડિકલ સાયન્સના આ દૌરમાં Organ Donation કોઈને જીવન આપવામાં એક ખુબ મોટું માધ્યમ બની ચૂક્યું છે. એવું કહેવાય છે કે જ્યારે એક વ્યક્તિ મૃત્યુ  બાદ પોતાનું શરીર દાન કરે છે તો તેનાથી 8થી 9 લોકોને એક નવું જીવન મળવાની સંભાવના બને છે. 

પીએમ મોદીએ કહ્યું કે સંતોષની વાત એ છે કે આજે દેશમાં ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃતતા વધી રહી છે. વર્ષ 2013માં આપણા દેશમાં અંગદાનના 5 હજારથી પણ ઓછા કેસ હતા, પરંતુ 2022માં આ સંખ્યા વધીને 15 હજારથી વધુ થઈ ગઈ. અંગદાન કરનારા વ્યક્તિઓએ, તેમના પરિવારે, ખરેખર ખુબ પુણ્યનું કામ કર્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે 39 દિવસના અબાબત કૌર હોય કે પછી 63 વર્ષના સ્નેહલતા ચૌધરી તેમના જેવા દાનવીર, આપણને જીવનનું મહત્વ સમજાવીને જાય છે. આપણા દેશમાંઆજે મોટી સંખ્યામાં એવા જરૂરિયાતવાળા લોકો છે જે સ્વસ્થ જીવનની આશામાં કોઈ ઓર્ગન ડોનેટ કરનારાઓની રાહ જુએ છે. મને સંતોષ છે કે અંગદાનને સરળ બનાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં એક જેવી પોલીસી ઉપર પણ કામ થઈ રહ્યું છે. 

પીએમ મોદીએ કહ્યું કે આ નવરાત્રિનો સમય છે, શક્તિની ઉપાસનાનો સમય છે. આજે ભારત જે સામર્થ્ય નવેસરથી નીખરીને સામે આવી રહ્યું છે, તેમાં ઘણી મોટી ભૂમિકા આપણી નારી શક્તિની છે. હાલમાં એવા કેટલાય ઉદાહરણ આપણી સામે આવ્યા છે. તમે સોશિયલ મીડિયા પર એશિયાના પહેલા મહિલા લોકો પાયલટ સુરેખા યાદવને જરૂર જોયા હશે. સુરેખા એક નવો વિક્રમ બનાવતા વંદે ભારત એક્સપ્રેસના પણ પહેલા લોકો પાયલટ બની ગયા છે. 

સૂર્ય સાથે ભારતના લોકોનો વિશેષ નાતો
પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે સોલર એનર્જીના ક્ષેત્રમાં જે ઝડપથી આગળ વધી રહ્યું છે તે પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ છે. ભારતના લોકો સદીઓથી સૂર્યથી વિશેષ રીતે નાતો ધરાવે છે. આપણા ત્યાં સૂર્યની શક્તિને લઈને જે વૈજ્ઞાનિક સમજ રહી છે, સૂર્યની ઉપાસનાની જે પરંપરાઓ રહી છે તે અન્ય જગ્યાઓ પર બહુ ઓછી જોવા મળે છે. બધાનો પ્રયાસ... એ જ સ્પીરિટ આજે ભારતના સોલર મિશનને આગળ વધારી રહી છે. 

દીવનો ઉલ્લેખ 
દીવ વિશે ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દમણ-દીવમાંથી જે દીવ છે કે જે એક અલગ જિલ્લો છે, ત્યાંના લોકોએ પણ એક અદભૂત કામ કરીને બતાવ્યું છે. તમે જાણતા હશો કે દીવ સોમનાથ પાસે છે. દીવ ભારતનો પહેલો એવો જિલ્લો બન્યો છે જે દિવના સમયે પણ તમામ જરૂરિયાતો માટે 100 ટકા ક્લિન એનર્જીનો ઉપયોગ કરે છે. દીવની આ સફળતાનો મંત્ર પણ બધાનો પ્રયત્ન જ છે. એક સમયે અહીં વીજળી ઉત્પાદન માટે સંસાધનો અંગે પડકાર હતો. લોકોએ આ પડકારના સમાધાન માટે સોલર એનર્જીને પસંદ કરી. અહીં ઉજ્જડ જમીન અને અનેક બિલ્ડિંગ્સ પર સોલર પેનલ લગાવવામાં આવી. આ પેનલ્સથી દીવમાં દિવસના સમયે જેટલી વીજળીની જરૂર હોય છે  તેનાથી વધુ વીજળી પેદા થઈ રહી છે. આ સોલર પ્રોજેક્ટથી વીજળી ખરીદી પર ખર્ચ થનારા લગભગ 52 કરોડ રૂપિયા પણ બચ્યા છે. તેનાથી પર્યાવરણની પણ મોટું રક્ષણ થયું છે. 

પુણેનો પણ આ મામલે તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે પુણે અને દીવે જે કરીને દેખાડ્યું છે આવા જ પ્રયત્નો દેશભરમાં અનેક અન્ય  જગ્યાએ પણ થઈ રહ્યા છે. પીએમ મોદીએ પુણે વિશે કહ્યું કે અહીં MSR-ઓલિવ હાઉસિંગ સોસાયટીના લોકોએ નક્કી કર્યું કે સોસાયટીના પીવાના પાણી, લિફ્ટ અને લાઈટ જેવી સામૂહિક ઉપયોગની ચીજો હવે સોલર એનર્જીથી જ ચલાવવામાં આવશે. ત્યારબાદ આ સોસાયટીના બધા લોકોએ મળીને સોલર પેનલ લગાવી. આજે આ સોલર પેનલથી દર વર્ષે લગભગ 90 હજાર કિલોવોટ અવર વીજળી પેદા થાય છે. તેનાથી દર મહિને લગભગ 40,000 રૂપિયાની બચત થાય છે. આ બચતનો લાભ સોસાયટીના તમામ લોકોને થઈ રહ્યો છે. 

એક ભારત શ્રેષ્ઠ ભારત..સૌરાષ્ટ્રનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે એક ભારત-શ્રેષ્ઠ ભારતની  ભાવના આપણા દેશને મજબૂતી આપે છે. આપણે જ્યારે એક બીજા વિશે જાણીએ છીએ, શીખીએ છીએ તો એક્તાની આ ભાવના વધુ ગાઢ બને છે. તેમણે કહ્યું કે એક્તાની આ જ સ્પિરીટ સાથે આગામી મહિને ગુજરાતના વિવિધ ભાગોમાં 'સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ' થવા જઈ રહ્યો છે. 'સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ' 17થી 30 એપ્રિલ સુધી ચાલશે. 

પીએમએ  કહ્યું કે સદીઓ પહેલા સૌરાષ્ટ્રના અનેક લોકો તમિલનાડુના અલગ અલગ ભાગોમાં જઈને વસી ગયા હતા. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રી તમિલના નામે ઓળખાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More