Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રઃ શિવસેનાને વધુ સમય આપવા માટે રાજ્યપાલે કર્યો ઈનકાર, આપ્યા 24 કલાક

આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."
 

મહારાષ્ટ્રઃ શિવસેનાને વધુ સમય આપવા માટે રાજ્યપાલે કર્યો ઈનકાર, આપ્યા 24 કલાક

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા પછી શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, અમે સરકારની રચના માટે રાજ્યપાલ પાસે 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે 24 કલાકનો સમય આપ્યો છે. 

આદિત્ય ઠાકરેએ વધુમાં જણાવ્યું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું કે, "કોંગ્રેસ અને એસીપી એમ બંને પાર્ટી સાથે અમારી વાટાઘાટો ચાલી રહી છે. તેમના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. રાજ્યમાં શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્યપાલ સમક્ષ 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે."

LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો

ઉલ્લેખનીય છે કે, મોડી સાંજે ઉદ્ધવ ઠાકરેએ સોમવારે સાંજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ એ બહાર આવી નથી, પરંતુ ઉદ્ધવે રાજ્યમાં સરકારની રચના અંગે સોનિયા સાથે ચર્ચા કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ વાતચીત પછી શિવસેના-એનસીપી સરકારને કોંગ્રેસ ટેકો આપવા તૈયાર થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે.

ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા

શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન 
શિવસેનાના 56 ધારાસભ્ય અને એનસીપીના 54 ધારાસભ્યો સાથે શિવસેનાને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. હવે તેમને કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય છે. આ રીતે. બહુમતિ માટે જરૂરી 145નો આંકડો સરળતાથી પુરો થઈ જશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More