Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે ચર્ચા

બેઠક પછી મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવામાં હજુ સમય લાગશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુંબઈ જઈને એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

મહારાષ્ટ્રઃ શિવસેનાને ટેકો આપવા અંગે કોંગ્રેસ હજુ અસમંજસમાં, NCP સાથે કરશે ચર્ચા

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવા બાબતે કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે. નવી દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘરે મળેલી બેઠકમાં કોંગ્રેસ અનિર્ણિત રહી હતી. આ બેઠક પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, આ બાબતે પાર્ટીએ હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

બેઠક પછી મલ્લિકાર્જુન ખડગેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવામાં હજુ સમય લાગશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુંબઈ જઈને એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે વાતચીત કરશે, ત્યાર પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

ઉલ્લેખનીય છે કે, નવી દિલ્હીમાં સોનિયા ગાંધીના ઘરે મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી સરકારને ટેકો આપવો કે નહીં તેના અંગેનો નિર્ણય લેવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની 3 કલાક સુધી બેઠક ચાલી હતી, પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. આ બાજુ એનસીપી પણ કોંગ્રેસના ટેકા વગર શિવસેનાને ટેકો આપશે નહીં. કેમ કે, રાજ્યમાં સરકારની રચના માટે શિવસેનાને એસીપી અને કોંગ્રેસ બંને પક્ષના ટેકાની જરૂર છે. 

fallbacks

કોંગ્રેસના નેતા માણિકરાવ ઠાકરેએ જણાવ્યું કે, "કોંગ્રેસ કે એનસીપી બંનેમાંથી એક પણ પાર્ટીએ મહારાષ્ટ્રના રાજ્યપાલને હજુ સુધી કોઈ પત્ર આપ્યો નથી. શરદ પવાર સાથે વાતચીત કરવા માટે બે નેતાઓને મુંબઈ મોકલવામાં આવશે. ત્યાર પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે."

મહારાષ્ટ્રઃ શિવસેનાને વધુ સમય આપવા માટે રાજ્યપાલે કર્યો ઈનકાર, આપ્યા 24 કલાક

મુંબઈમાં રાજ્યપાલને મળ્યા પછી આદિત્ય ઠાકરેએ જણાવ્યું  હતું કે, "રાજ્યપાલે સરકાર રચવા માટે અમે કરેલા દાવાનો ફગાવ્યો નથી, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે. અમે રાજ્યપાલ પાસે 2 દિવસનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે અમને માત્ર 24 કલાકનો સમય આપ્યો છે."

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

આદિત્ય ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું કે, "કોંગ્રેસ અને એસીપી એમ બંને પાર્ટી સાથે અમારી વાટાઘાટો ચાલી રહી છે. તેમના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. રાજ્યમાં શિવસેના બીજી સૌથી મોટી પાર્ટી છે. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા રાજ્યપાલ સમક્ષ 48 કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે વધુ સમય આપવાનો ઈનકાર કર્યો છે."

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More