નવી દિલ્હી : અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નજીરની અધ્યક્ષતાવાળી બંધારણની પીઠ પોતાનો ચુકાદો આપ્યો સુપ્રીમ ર્ટે 16 ઓક્ટોબરના તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ દેશનો સૌથી જુનો અને લાંબો મામલો છે અને આ મામલે સતત 40 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી લાંબી સુનાવણી છે. સૌથી લાંબી સુનાવણી 1973માં કેશવાનંદ ભારતી કેસની હતી જે સતત 68 દિવસ સુધી ચાલી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે