Home> India
Advertisement
Prev
Next

શું તમારે જોઈએ છે ફ્રીમાં ગેસનો બાટલો? શું છે પ્રોસેસ? જાણો કોને મળે છે મફત ગેસ સિલિન્ડર?

Gas Cylinder: રાંધણ ગેસની વધતી કિંમતોની વચ્ચે એક રાહતના સમાચાર છે. કેટલાંક જરૂરી ડોક્યુમેન્ટ દર્શાવીને તમે પણ લઈ શકો છો વિનામૂલ્યે ગેસ સિલિન્ડર...

શું તમારે જોઈએ છે ફ્રીમાં ગેસનો બાટલો? શું છે પ્રોસેસ? જાણો કોને મળે છે મફત ગેસ સિલિન્ડર?

Gas Cylinder: થોડા વર્ષો પહેલા સુધી ગામડાઓમાં માત્ર ચૂલા પર જ ભોજન રાંધવામાં આવતું હતું. જેના કારણે મહિલાઓના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ હતી. સ્ટવ અને કોલસા સળગતી સગડીને કારણે મહિલાઓને ઘણી બીમારીઓ થતી હતી. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના ગરીબ પરિવારોને મફત રાંધણ ગેસ આપે છે. જેથી ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં રહેતા બીપીએલ પરિવારોના લોકોને તેનો લાભ મળી શકે.

કોને મળી શકે છે લાભ?
દેશની 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકે છે.
મહિલાઓ ભારતની રહેવાસી હોવી જોઈએ.
મહિલાઓ માટે બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓ પાસે પોતાનું બેંક ખાતું પણ હોવું જોઈએ.
બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે.
જો પરિવાર પહેલેથી જ યોજનાનો લાભ લઈ રહ્યો છે તો તે પરિવારની મહિલાને તેનો લાભ નહીં મળે.
અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે.
પછાત વર્ગની મહિલાઓ,
કલમ 11ની યાદીમાં આવતી મહિલાઓ,
બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ,
વનવાસી પરિવાર,
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ.

કઈ રીતે ઓનલાઈન કરશો અરજી?
યોજનાનો લાભ મેળવવા માટે, તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે તમારે કેટલીક પ્રક્રિયાને અનુસરવી પડશે. સૌ પ્રથમ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સત્તાવાર સાઇટ www.pmuy.gov.in પર જાઓ. હવે હોમ પેજ પર તમારે ડાઉનલોડ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે તમારી સામે ચાર ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ ખુલશે. જેમાં ઉજ્જવલા ફોર્મ હિન્દી, ઉજ્જવલા ફોર્મ અંગ્રેજી, ઉજ્જવલા કેવાયસી ફોર્મ હિન્દી અને ચોથું ઉજ્જવલા કેવાયસી ફોર્મ અંગ્રેજી શામેલ છે. આ ચાર વિકલ્પોમાંથી, તમે તમારી ભાષા અનુસાર ઉજ્જવલા ફોર્મ પર ક્લિક કરી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ ફોર્મ તમે LPG સેન્ટર પરથી પણ મેળવી શકો છો. ફોર્મની પ્રિન્ટ આઉટ લીધા પછી, તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી જેમ કે તમારું નામ, ઉંમર, સરનામું ભરો. ફોર્મમાં જરૂરી દસ્તાવેજોની યાદી પણ માંગવામાં આવશે. તેમને ફોર્મ સાથે જોડો.

હવે એકવાર ફોર્મ વાંચો અને તેને તમારા નજીકના એલપીજી સેન્ટર પર સબમિટ કરો. આ પછી, જ્યારે તમારું ફોર્મ અને તમામ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થઈ જશે, ત્યારે તમને મફતમાં ગેસ કનેક્શન મળશે. તમે LPG સેન્ટરમાં ગયા વિના પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરી શકો છો.

સૌ પ્રથમ ઉજ્જવલા યોજનાની સત્તાવાર સાઇટ www.pmuy.gov.in પર જાઓ. હવે હોમ પેજ પર ‘Apply for PMUY કનેક્શન’ના વિકલ્પ પર ક્લિક કરો. તમારી સામે એક ડાયલોગ બોક્સ ખુલશે. જેમાં ઘણા વિકલ્પો હશે. આ વિકલ્પોમાં વિવિધ ગેસ કંપનીઓ પાસેથી સિલિન્ડર મેળવવાની લિંક હશે. તમે કોઈપણ એક બોક્સ પર ક્લિક કરો. જે કંપનીનો ગેસ સિલિન્ડર તમે મેળવવા માંગો છો. આ પછી બીજું પેજ ખુલશે. જેમાં તમારું નામ, વિતરકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, પિન કોડ જેવી માહિતી પૂછવામાં આવશે. બધી માહિતી ભર્યા પછી, પૂછવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. હવે તમારે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે. જે પછી તમારી અરજી પૂર્ણ થઈ જશે.

સૌથી પહેલા સ્કીમની ઓફિશિયલ સાઈટ www.pmuy.gov.in પર જાઓ.
ફાઈન્ડ યોર નેઅરેસ્ટ એલપીજી ડિસ્ટ્રીબ્યુટરનો વિકલ્પ હોમ પેજ પર જ દેખાશે. આમાં તમારી પાસે ત્રણ વિકલ્પો હશે - ઈન્ડેન, ભારત ગેસ અને HP.
એક પર ક્લિક કરીને તમારું રાજ્ય, જિલ્લો અને બ્લોક પસંદ કરો. હવે Locate વિકલ્પ પર ક્લિક કરીને પ્રક્રિયા પૂર્ણ કરો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થીએ ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે તેની પાસે કેટલાક દસ્તાવેજો રાખવા ફરજિયાત છે.

કયા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
આધાર કાર્ડ
બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે
રજિસ્ટર્ડ મોબાઈલ નંબર
સરનામાનો પુરાવો
બેંક ખાતાની વિગતો
બીપીએલ કાર્ડ
ઉંમર પ્રમાણપત્ર
મતદાર આઈડી
જાતિ પ્રમાણપત્ર
પાસપોર્ટ સાઇઝનો ફોટો

KYC ફોર્મ ભર્યા વિના, તમે ફ્રી ફેસ કનેક્શન મેળવી શકશો નહીં. KYC ફોર્મ ભરવા માટે નીચે આપેલ પ્રક્રિયાને અનુસરો.

સૌથી પહેલા તમારે ઓફિશિયલ સાઈટ www.pmuy.gov.in પર જવું પડશે. અહીં હોમ પેજ પર ડાઉનલોડ વિકલ્પ પર જાઓ. હવે તમારી સામે ચાર ફોર્મ દેખાશે, જેમાંથી KYC ફોર્મ પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરો. ફોર્મની પ્રિન્ટ લીધા બાદ તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
હવે આ ફોર્મ તમારી નજીકની એલપીજી ઓફિસમાં સબમિટ કરો. જો તમે ફોર્મ ડાઉનલોડ કરી શકતા નથી. તો તમે તમારા નજીકના એલપીજી સેન્ટર પરથી પણ આ ફોર્મ મેળવી શકો છો. યોજનાના પ્રથમ તબક્કાની સફળતા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ઓગસ્ટ 2021ના રોજ બીજા તબક્કાની એટલે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ની શરૂઆત કરી. જેમાં પરપ્રાંતિય મજૂરો પણ સામેલ હતા. તેનો અર્થ એ છે કે યોજનાનો લાભ મેળવવા માટે તેમને રેશન કાર્ડના કાયમી સરનામાની જરૂર નથી. તેઓ જ્યાં પણ રહેતા હોય ત્યાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટે કેન્દ્ર સરકારે તેના બજેટમાં પણ વધારો કર્યો છે. 1 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ, નાણા મંત્રી નિર્મલા સીતા રામને માહિતી આપી હતી કે એકલા 2020 સુધી, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 7.4 કરોડ મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

તમારું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં તેની માહિતી તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. આ માટે તમારે કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. સૌ પ્રથમ PMUY વિભાગની સત્તાવાર સાઇટ www.pmuy.gov.in પર જાઓ. હવે તમારી સામે વેબસાઈટનું હોમ પેજ ખુલશે. જેમાં તમારે નવા લિસ્ટમાં જવું પડશે. જલદી તમે ક્લિક કરશો, સ્ક્રીન પર એક નવું પૃષ્ઠ ખુલશે. જેમાં તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક જેવી માહિતી પસંદ કરો. આ પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા પછી, ઇચ્છિત વિસ્તારોની સૂચિ તમારી સામે ખુલશે. જેમાં તમે નામ ચેક કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More