Home> India
Advertisement
Prev
Next

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ, 24ના મૃત્યુ, સંક્રમણ દર 27 ટકા

દિલ્હીમાં, 100% લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. લગભગ 80 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લાખ 27 હજાર લોકોને તકેદારીનો ડોઝ આપવામાં આવ્યો છે. 
 

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 હજાર કેસ, 24ના મૃત્યુ, સંક્રમણ દર 27 ટકા

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણને લઈને રાહતના સમાચાર આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 12527 નવા કેસ સામે આવ્યા અને 24 લોકોના મૃત્યુ થયા છે. તો બીજીતરફ સક્રિય કેસ ઘટીને 83,982 થઈ ગયા છે, જ્યારે પોઝિટિવિટી રેટ 27.99 ટકા છે. 

આ પહેલાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Delhi Health Minister Satyendar Jain) એ જણાવ્યુ હતું કે દિલ્હીમાં લગભગ 2.85 કરોડ લોકોને રસીનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. પ્રથમ ડોઝ 100 ટકા પાત્ર લોકોને મળી ચુક્યો છે, જ્યારે બીજો ડોઝ 80 ટકા વસ્તીને આપવામાં આવ્યો છે. આ સાથે 1.28 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે. 

આ પહેલાં રવિવારે દિલ્હીમાં 18 હજાર 286 નવા કેસ સામે આવ્યા હતા. સંક્રમણ દર પણ ઘટીને 27.87 ટકા થઈ ગયો હતો. તો 25 કલાકમાં 65 હજાર 621 સેમ્પલ ટેસ્ટ થયા હતા. આ પહેલાં સંક્રમણ દર 30.64 ટકા હતો. ત્યારે કોરોનાના 20 હજાર 718 કેસ સામે આવ્યા હતા. 

તેમણે કહ્યું કે, જો કોઈમાં કોરોનાના લક્ષણ છે તો ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. કોઈપણ ટેસ્ટિંગ સેન્ટરમાં પોતાની તપાસ કરાવી શકે છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સોમવારે દિલ્હીમાં કોવિડની સ્થિતિ વિશે જાણકારી આપતા કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા ચાર દિવસથી કોરોના કેસમાં કમી આવી રહી છે. 

આ પણ વાંચોઃ કોરોના સામે લડાઈમાં આવ્યા સારા સમાચાર, માર્ચમાં શરૂ થઈ શકે છે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ  

દિલ્હીમાં, 100% લાભાર્થીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. લગભગ 80 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લાખ 27 હજાર લોકોને તકેદારીનો ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 35 હજાર લોકો 60 વર્ષથી વધુ ઉંમરના છે. તેમાં 32 હજાર હેલ્થ વર્કર છે અને બાકીના 60 હજાર લોકો ફ્રન્ટલાઈન વર્કર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકો રસીના બીજા ડોઝ અને તકેદારી ડોઝ માટે લાયક બન્યા છે, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તેમનું રસીકરણ કરાવી લેવું જોઈએ.

દિલ્હી સરકાર પાસે પૂરતી સંખ્યામાં રસી ઉપલબ્ધ છે. લોકનાયક અને જીટીબી હોસ્પિટલોમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા મર્યાદિત કરવાને કારણે દર્દીઓને પડતી મુશ્કેલીના પ્રશ્ન પર આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં ઓછા પ્રવેશ છે, તેથી આગામી ત્રણ મહિનામાં મર્યાદિત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More