નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, થોડા સમય પહેલા જ ભારતે મોટી ઉપલબ્ધી હાંસલ કરી છે. ભારત અંતરિક્ષ ક્ષેત્રે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તેને પ્રાપ્ત કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ આ મિશનને શક્તિ નામ આપ્યું હતું.
મિશન શક્તિની વિશેષતાઓ...
- ભારતીય વૈજ્ઞાનિકોએ 300 કિમી દૂર Low Earth Orbit (પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા)માં એક સેટેલાઈટને તોડી પાડ્યો છે.
- ભારતે જે સેટેલાઈટને તોડી પાડ્યો છે, તે એક પૂર્વનિર્ધારિત લક્ષ્ય હતું.
- આ લક્ષ્યને 'A SAT' (એન્ટી સેટેલાઈટ) મિસાઈલની મદદથી વિંધવામાં આવ્યું હતું. ખાસવાત એ છે કે, આ મિશનને માત્ર 3 મિનિટમાં પુરું કરાયું છે.
- અંતરિક્ષમાં આ ઉપલબ્ધી હાંસલ કરનારો ભારત ચોથો દેશ બન્યો છે. અમેરિકા, ચીન, રશિયા પછી ભારત અંતરિક્ષ ક્ષેત્રે ચોથી મહાસત્તા બન્યો છે.
મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો
- મિશન શક્તિનો ઉપયોગ માત્ર દેશવાસિઓની સુરક્ષા માટે હતો.
- મિશન શક્તિનો ઉપયોગ કોઈ દેશના વિરુદ્ધ કરી શકાતો નથી.
- પૃથ્વીની આ ભ્રમણ કક્ષામાં તમામ પ્રકારના જાસૂસી સેટેલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતે આ પ્રકારના સેટેલાઈટને તોડી માડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે.
ભારત પાસે છે હવે અત્યંત શક્તિશાળી ASAT મિસાઈલ, 3 મિનિટમાં કરશે કામ તમામ, જાણો ખાસિયતો
પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષા (Low Earth Orbit)...
- લો અર્થ ઓરબિટનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરવામાં આવે છે.
- આ ભ્રણકક્ષા પૃથ્વીની સપાટીથી 400થી 1000 માઈલની ઊંચાઈ પર હોય છે. જેમાં લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ હોય છે.
- આ સેટેલાઈટનો ઉપયોગ મુખ્ય રીતે ડાટા કમ્યુનિકેશન માટે કરાયા છે.
મિશન શક્તિઃ રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો આચાર સંહિતાના દાયરામાં આવતી નથી- ચૂંટણી પંચ
- સરળ ભાષામાં કહીએ તો ઈમેલ, વીડિયો કોન્ફરન્સિંગ અને પેજિંગ જેવી સેવાનો ઉપયોગ કરવા માટે જ આ સેટેલાઈટનો ઉપયોગ કરાય છે.
- આ સેટેલાઈટ અત્યંત ઝડપી ગતિએ ચાલતા હોય ચે.
- ખાસ વાત એ છે કે, સંદેશાવ્યવહાર માટેના આ સેટેલાઈટનું સ્થાન અંતરિક્ષમાં સ્થિર હોતું નથી.
એર સ્ટ્રાઇક બાદ ભારતે અંતરીક્ષમાં કરી સર્જીકલ સ્ટ્રાઇક, દુશ્મન દેશને આપ્યો આકરો જવાબ
Low Earth Orbit Setallite...
- લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ જાસુસી માટેના સેટેલાઈટ હોય છે અને તેનાથી સંદેશાવ્યવહાર અત્યંત ઝડપી બનતો હોય છે.
- જાસુસી અંગેના સેટેલાઈટને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (LEO)માં જ છોડવામાં આવે છે.
- અન્ય સેટેલાઈટની સરખામણીએ LEOમાં ગુરુત્વાકર્ષણનું દબાણ ધરતીની સપાટીમાં થોડું ઘટી જાય છે.
- વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર પૃથ્વીની સપાટીથી LEOનું અંતર પૃથ્વીની ત્રિજ્યા કરતાં ઘણું ઓછું છે.
- આ કક્ષામાં જે વસ્તુ ફરતી હોય છે તેમાં કોઈ બળ હોતું નથી.
- એટલે કે, આ કક્ષામાં રહેલી વસ્તુઓમાં ભારહીનતાની લાગણીનો અનુભવ થાય છે, ભલે તે વાસ્તવમાં વજન વગરની ન હોય.
ભારતના વધુ સામાચાર જાણવા અહીં કરો ક્લિક....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે