Home> India
Advertisement
Prev
Next

Karnataka Election Result: કોંગ્રેસે CM ને લઇને તૈયાર કર્યો ખાસ ફોર્મૂલા, જાણો કોણ બનશે મુખ્યમંત્રી

Karnataka Election Result 2023:  કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે અને કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતી ટ્રેંડમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે.

Karnataka Election Result: કોંગ્રેસે CM ને લઇને તૈયાર કર્યો ખાસ ફોર્મૂલા, જાણો કોણ બનશે મુખ્યમંત્રી

Congress prepared formula for CM in Karnataka: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે અને કોંગ્રેસ પાર્ટીએ શરૂઆતી વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. દરમિયાન કોંગ્રેસે મુખ્યમંત્રીને લઈને ખાસ ફોર્મ્યુલા તૈયાર કરી છે. તમને જણાવી દઈએ કે 10 મેના રોજ કર્ણાટક વિધાનસભાની તમામ 224 સીટો માટે મતદાન થયું હતું અને જનતાએ બમ્પર વોટિંગ કર્યું હતું. આ વખતે રાજ્યમાં 73.19 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

સિદ્ધારમૈયાના CM બનવામાં વિલન બની શકે છે આ દિગ્ગજ નેતા, કોંગ્રેસ માટે બનશે સિરદર્દ
Viral Video: કર્ણાટકમાં જીતની દુવા! પ્રિયંકા ગાંધીએ શિમલાના જાખૂ હનુમાન મંદિરની પૂજા
કર્ણાટકના રિઝલ્ટ પર સંજય રાઉતે કહ્યું; 'બજરંગબલીની ગદા ભાજપના માથા પર પડી'

સિદ્ધારમૈયા કે ડીકે શિવકુમાર? કોણ બનશે મુખ્યમંત્રી
કર્ણાટકમાં બહુમતનો આંકડો પાર કર્યા બાદ કોંગ્રેસ (Congress)ના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે કર્ણાટક (Karnataka Assembly Election)માં અઢી વર્ષ માટે બે મુખ્યમંત્રી બનાવવાની ફોર્મ્યુલા તૈયાર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધારમૈયા (Siddaramaiah) પહેલા અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનશે અને પછી ડીકે શિવકુમાર (DK Shivakumar) ને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવશે.

શું Congress અને JDS બદલી દેશે આખી ગેમ? પરિણામ પહેલાં મિલાવ્યો હાથ
Karnataka: કોંગ્રેસમાં સીએમને લઇને 'યુદ્ધ', સિદ્ધારમૈયાના પુત્રએ કરી આ માંગ
'અમારી પાસે સરકાર બનાવવા માટે પ્લાન B', ભાજપે કહ્યું- આ વખતે ટ્રોફી અમારી

કોંગ્રેસ 115 સીટો પર આગળ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી (Karnataka Assembly Election) ની મત ગણતરીમાં કોંગ્રેસને બહુમતી મળી છે. શરૂઆતના વલણમાં કોંગ્રેસ 115 સીટો પર આગળ છે. સવારે 10 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં ભારતીય જનતા પાર્ટી (BJP) 78 સીટો પર આગળ છે, જ્યારે JDS 26 સીટો પર આગળ છે. બીજી તરફ અન્ય પક્ષો 5 બેઠકો પર આગળ છે.

સિદ્ધારમૈયાના પુત્રનું મોટું નિવેદન
પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્ર સિદ્ધારમૈયાએ મતગણતરી વચ્ચે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કર્ણાટકના હિતમાં મારા પિતાને મુખ્યમંત્રી બનવું જોઈએ. યતીન્દ્રએ વધુમાં કહ્યું, 'અમે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કંઈ પણ કરીશું. રાજ્યના હિતમાં મારા પિતાએ મુખ્યમંત્રી બનવું જોઈએ.

રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More