Home> India
Advertisement
Prev
Next

Karnataka Election Result: તો આ છે કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ, થયો ખુલાસો!

Karnataka BJP Defeat Reasons: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામોને સ્વીકારીને ભાજપ હવે હારની સમીક્ષા કરવાની અને એ મુજબ પાર્ટીમાં જરૂરી ફેરફાર કરવાની વાત કરી રહી છે.

Karnataka Election Result: તો આ છે કર્ણાટકમાં ભાજપની હારનું સૌથી મોટું કારણ, થયો ખુલાસો!

બેંગલુરૂઃ BJP Defeat Reasons in Karnataka Elections Results: ભારતીય જનતા પાર્ટી (BJP) ને કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે અને કોંગ્રેસે (Congress) સરળતાથી બહુમતીનો આંકડો હાંસલ કરી હતી. પરિણામોને સ્વીકારીને ભાજપ હવે હારની સમીક્ષા કરવાની અને તે મુજબ પાર્ટીમાં જરૂરી ફેરફાર કરવાની વાત કરી રહી છે. આપને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ 137 સીટો પર આગળ છે, જ્યારે બીજેપી 64 સીટો પર સમેટાઈ ગઈ છે અને જેડીએસને માત્ર 19 સીટો મળી છે.

ભાજપની (BJP) હારનું સૌથી મોટું કારણ સામે આવ્યું
કર્ણાટક ચૂંટણી પરિણામોમાં (Karnataka Election Result) હારની સમીક્ષા કરતા પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઘણા નેતાઓ માની રહ્યા છે કે બજરંગ દળ (Bajrang Dal) પર પ્રતિબંધ મૂકવાના કૉંગ્રેસના (Congress) વચનને કારણે મુસ્લિમ સમુદાયના મતોનું (Muslim Votes)કૉંગ્રેસની તરફેણમાં ધ્રુવીકરણ થયું હતું, જેના કારણે વોટ બગડ્યા હતા. જેને પગલે જેડીએસ  (JDS)ને ભારે ઝટકો લાગ્યો છે.

આ પણ વાંચોઃ Karnataka: કોંગ્રેસે જીત્યો કર્ણાટકનો કિલ્લો, બોમ્માઇ સરકારના 12 મંત્રી હાર્યા

મત ગણતરીના એક કલાકમાં જ રિઝલ્ટ સ્પષ્ટ થઈ ગયું હતું
કર્ણાટક વિધાનસભાની તમામ 224 બેઠકો માટે શનિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીના એક કલાકની અંદર જ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સ્વીકાર્યું હતું કે JDSના મત કોંગ્રેસની તરફ (Congress)ટ્રાન્સફર થઈ ગયા છે. આ પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભાજપની આ આશંકા સાચી સાબિત થઈ અને પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો.

આ કારણે મુસ્લિમ મત કોંગ્રેસની તરફેણમાં ગયા 
કર્ણાટકના જૂના મૈસૂર વિસ્તારને જેડીએસનો ગઢ માનવામાં આવે છે અને આ વિસ્તારમાં 55 વિધાનસભા બેઠકો છે. વોક્કાલિગાસ અને મુસ્લિમ મતદારો આ બેઠકો પર જીત અને હાર નક્કી કરી રહ્યા છે અને આ બંને સમુદાયોને જેડીએસની મજબૂત વોટ બેંક માનવામાં આવે છે. પરંતુ, બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું કોંગ્રેસનું વચન અને તેને બજરંગબલીના અપમાન સાથે જોડવાની ભાજપની ઝુંબેશથી કોંગ્રેસની તરફેણમાં મુસ્લિમ મતબેંકનું ધ્રુવીકરણ થયું.

આ પણ વાંચોઃ કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર : મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી

આંકડાઓમાં સમજો સંપૂર્ણ ગણિત 
કર્ણાટક ચૂંટણીના આંકડા પણ આ જ વાર્તા કહેતા જોવા મળી રહ્યાં છે. 2018ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં JDSએ 18.3 ટકા મતો સાથે 37 બેઠકો જીતી હતી. બીજી તરફ કોંગ્રેસે 38.1 ટકા વોટ સાથે 80 સીટો જીતી હતી, પરંતુ જો આ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીના પરિણામોની વાત કરીએ તો જેડીએસની વોટ બેંકમાં લગભગ 5 ટકાનો ઘટાડો થયો છે અને આ 5 ટકા કોંગ્રેસમાં વધુ જોવા મળ્યા છે.

કર્ણાટકના જૂના મૈસૂર વિસ્તારની વાત કરીએ તો, જેડીએસના  (JDS) સૌથી મજબૂત ગઢ (જ્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે) ત્યાં જેડીએસની લગભગ 15 બેઠકો ઘટી છે અને આ વિસ્તારમાં કોંગ્રેસને ગત વખત કરતા વધુ બેઠકો મળી રહી છે. 17 જેટલી બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More