Home> India
Advertisement
Prev
Next

J&K: શ્રીનગરમાં આતકીઓએ નેશનલ કોન્ફરન્સના બે નેતાઓની હત્યા કરી

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકીઓએ હુમલો કર્યો.

J&K: શ્રીનગરમાં આતકીઓએ નેશનલ કોન્ફરન્સના બે નેતાઓની હત્યા કરી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આજે આતંકીઓએ હુમલો કર્યો. કહેવાય છે કે આતંકીઓએ શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં હુમલો કરીને નેશનલ કોન્ફરન્સના બે નેતાઓની હત્યા કરી નાખી. આ નેતાઓમાં મુશ્તાક અહેમદ પણ સામેલ છે. કહેવાય છે કે આતંકીઓએ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું.  જેમાં લગભગ બે લોકો ઘાયલ પણ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 

fallbacks

ધોળા દિવસે થયેલી આ વારદાતના કારણે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ તથા સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે જ વિસ્તારને ખાલી પણ કરાવવામાં આવી રહ્યો છે. 

fallbacks

ઘટનાની જાણકારી આપતા શ્રીનગરના એસએસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલે કહ્યું કે હુમલામાં બે લોકોના મોત થયા છે. આ લોકોનું રાજકીય બેકગ્રાઉન્ડ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More