Home> India
Advertisement
Prev
Next

JAMMU AND KASHMIR: 15 ઓગસ્ટ પહેલા મોટી આતંકી ઘટના, BJP ના નેતા અને તેમના પત્નીની ગોળી મારી હત્યા કરાઈ

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો. શહેરના લાલ ચોક પર આતંકીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું.

JAMMU AND KASHMIR: 15 ઓગસ્ટ પહેલા મોટી આતંકી ઘટના, BJP ના નેતા અને તેમના પત્નીની ગોળી મારી હત્યા કરાઈ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ નાપાક હરકતને અંજામ આપ્યો. શહેરના લાલ ચોક પર આતંકીઓએ ભાજપ નેતા ગુલામ રસૂલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પણ ત્યાં તેમનું મોત થઈ ગયું. 

કુલગામ કિસાન મોરચા અધ્યક્ષની હત્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સોમવારે ભારતીય જનતા પાર્ટી સાથે જો઼ડાયેલા સરપંચ અને તેમના પત્નીની હત્યા કરી નાખી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સરપંચ અને ભાજપ કિસાન મોરચાની કુલગામ જિલ્લા શાખાના અધ્યક્ષ ગુલામ રસુલ ડાર અને તેમના પત્ની પર ફાયરિંગ કર્યું. 

જિલ્લા વિકાસ પરિષદની પણ લડી હતી ચૂંટણી
અધિકારીઓએ જણાવ્યું કે બંનેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમણે દમ તોડ્યો. કુલગામના રેડવાનીના રહીશ ડાર ભાજપ સમર્થિત સરપંચ હતા. તેમણે ગત વર્ષે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પણ લડી હતી પરંતુ હારી ગયા હતા. ડાર હાલ અનંતનાગમાં ભાડાના મકાનમાં રહેતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More