Home> India
Advertisement
Prev
Next

દેવબંદમાં મુસ્લિમોના સંમેલનમાં મદની ભાવુક, કહ્યું; 'અમે અત્યાચાર સહી લઈશું, પણ દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'

આજથી દેવબંદમાં મુસ્લિમ સંગઠનોનો બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જમીયત-ઉલેમા-એ-હિંદ મદની જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંમેલનનો ધ્વજ ફરકાવીને તેની શરૂઆત કરી હતી. 

દેવબંદમાં મુસ્લિમોના સંમેલનમાં મદની ભાવુક, કહ્યું; 'અમે અત્યાચાર સહી લઈશું, પણ દેશ પર કોઈ આંચ આવવા દઈશું નહીં'

Gyanvapi Masjid Row: સમગ્ર દેશમાં જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દે ચર્ચાઓનું બજાર ગરમ છે. આ મામલે આજથી દેવબંદમાં મુસ્લિમ સંગઠનોનો બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જમીયત-ઉલેમા-એ-હિંદ મદની જૂથના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ સાંસદ મૌલાના મહમૂદ અસદ મદનીએ સંમેલનનો ધ્વજ ફરકાવીને તેની શરૂઆત કરી હતી. 

આ કાર્યક્રમમાં મૌલાના મહમૂદ મદનીએ કહ્યું, 'દેશમાં નફરતનું વાતાવરણ છે. મુસ્લિમોએ નિરાશ થવાની જરૂર નથી. એકબીજાને ઉશ્કેરવામાં આવે છે. અમે મુસીબતમાં છીએ કારણ કે મુસ્લિમોની ધીરજની કસોટી થઈ રહી છે. આવી સ્થિતિમાં, ગમે તે થાય, હું વિશ્વાસની કિંમત સાથે સમાધાન કરીશ નહીં. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મહમૂદ અસદ મદનીએ કહ્યું કે અપમાન થઈને ચૂપ રહેવાનું મુસ્લિમો પાસેથી શીખવું જોઈએ. મુશ્કેલી સહન કરીશું પણ દેશનું નામ બગાડવા નહીં દઈએ. તેમણે કહ્યું કે જો જમીયત ઉલેમા શાંતિને પ્રોત્સાહન આપવા અને પીડા, નફરતને સહન કરવાનો નિર્ણય લે છે, તો તે અમારી નબળાઈ નથી, તે અમારી તાકાત છે.

મહમૂદ અસદ મદનીએ વર્તમાન પરિસ્થિતિ વિશે કવિતાથી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે અમને અમારા જ દેશમાં અજાણ્યા બનાવી દેવામાં આવ્યા છે. મહમુદ અસદ મદનીએ પણ અખંડ ભારતની વાત પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે તમે કયા અખંડ ભારતની વાત કરો છો? મુસ્લિમો માટે આજે ચાલવું મુશ્કેલ બની ગયું છે. આ ધીરજની કસોટી છે.

Rajya Sabha Election: દેશમાં ફરી ચૂંટણીની મૌસમ: રાજ્યસભાની 57 બેઠકો માટે જંગ, જાણો કયા રાજ્યમાં કેટલી સીટો છે ખાલી

ઉલ્લેખીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને જમિયત-ઉલેમા-એ-હિંદની દેવબંદમાં એક વિશાળ બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે સેંકડો ઇસ્લામિક વિદ્વાનોએ ભાગ લીધો હતો. જમીયતના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ સભામાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તે ભાવુક પણ થઈ ગયો અને તેણે કહ્યું કે મુસ્લિમો માટે ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. તેમણે કહ્યું કે આપણને આપણા જ દેશમાં અજાણ્યા બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ એ લોકો જે એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે તેને આપણે અનુસરવાની જરૂર નથી.

મૌલાના મદનીએ વધુમાં જણાવ્યું હતું કે, આવા મુશ્કેલ સ્થિતિમાં આપણે આજે અહીં ઉપસ્થિત છે. પરંતુ એ અમારું જીગર જાણે છે કે અમારી મુશ્કેલીઓ શું છે. મુશ્કેલીઓનો સામનો કરવો માટે આત્મવિશ્વાસ અને તાકાત જોઈએ. જે રીતની છેલ્લા દિવસોમાં ચીજો બની રહી છે તેના માટે મુસ્લિમોને જેલ ભરવા માટે તૈયાર રહેવું જોઈએ. જો જમીયત ઉલમા એ હિન્દનો એવો નિર્ણય છે કે અમે અત્યાચારને સહી લઈશું પરંતુ દેશ ઉપર કોઈ આંચ આવવા દઈશું નહીં. તો આ નિર્ણય અમારી નબળાઈ નથી, પરંતુ જમીયત-ઉલમાની તાકાતના કારણે છે. આ તાકાત અમને કુરાને આપી છે. અમે દરેક ચીજમાં સમજૂતી કરી શકીએ છીએ, પરંતુ અમારા સ્વભિમાન માટે ક્યારે સમજૂતી નહીં કરીએ. અમારું સ્વાભિમાન અમને તે રસ્તે લઈ જાય છે જ્યાં અમે નિરાશ થતા નથી. 

સાવધાન! ભારતમાં જ ફેલાયો મંકીપોક્સ જેવો 'ટોમેટો ફ્લૂ', હાલ આપણી પાસે કોઈ દવા જ નથી!

સભા બાદ મીડિયા સાથે વાત કરતા મૌલાના મદનીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશની હાલત અને સરકારનું મૌન અફસોસજનક છે. જે આ દેશની ચિંતા કરનાર લોકો છે, તેમણે જ હવે દેશને સંભાળવો પડશે. દેશમાં હાલ જે ભાગલા પાડવાનો માહોલ ચાલી રહ્યો છે, તેને ખતમ કરવો પડશે. જો જરૂર પડશે તો અમે જેલ ભરો આંદોલન કરીશું. અત્યારે આ મુદ્દાઓને લઈને ચર્ચા ચાલી રહી છે અને એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવશે. આવતીકાલ (રવિવાર) સુધી પ્રસ્તાવ બનાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More