Home> India
Advertisement
Prev
Next

Jagannath Puri Rath Yatra: ભગવાન જગન્નાથે બહેન સુભદ્રાની આ રીતે કરી ઈચ્છા પૂરી, કાઢ્યો રથ અને પછી...

Puri Jagannath Yatra: ઓડિશાના પુરીમાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જુએ છે. શું તમે જાણો છો આ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને તેનું શું મહત્વ છે.

Jagannath Puri Rath Yatra: ભગવાન જગન્નાથે બહેન સુભદ્રાની આ રીતે કરી ઈચ્છા પૂરી, કાઢ્યો રથ અને પછી...

Puri Rath Yatra: ભગવાન જગન્નાથને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરની સ્થાપના ઓડિશા રાજ્યમાં પુરી નામની જગ્યાએ કરવામાં આવી છે. દર વર્ષે અહીં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. તેના ભક્તો આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ જ કારણ છે કે આ ભવ્ય રથયાત્રામાં લાખો ભક્તો ભાગ લે છે. આ રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનામાં નીકળે છે અને તે 3 કિલોમીટરની હોય છે.

દરિયાપુર પાસે દુર્ઘટના; રથયાત્રાના રૂટ પર મકાનની છત ધરાશાયી, જુઓ દુર્ઘટના LIVE VIDEO

ગુંડીચા મંદિર
પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરમાં આખું વર્ષ ભગવાનની પૂજા કરવામાં આવે છે. જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે, ત્યારે તેને ગુંડીચા મંદિરમાં લઈ જવામાં આવે છે. આ યાત્રામાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી ભક્તો આવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા કાઢવામાં આવી રહી છે.

પ્રથમવાર રથયાત્રામાં વિઘ્ન! જગન્નાથજીનો રથ ખેંચવાનું દોરડું તૂટ્યું, છતાં ભક્તોની આસ

મહત્વ
પુરીની વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા અષાઢના શુક્લ પક્ષની બીજી તારીખે કાઢવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા તેમની મામાના ઘરે જાય છે. આ જ કારણ છે કે આ દિવસે મંદિર પરિસરમાંથી ત્રણ વિશાળ રથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથના રથને પહેલા બલભદ્ર, પછી બહેન સુભદ્રા અને છેલ્લે લઈ જાય છે.

કોવિડ વેક્સિનના કારણે ગુજરાત સહિત ભારતમાં હાર્ટ એટેકના કેસ વધ્યા? ICMR શોધી રહી છે.

પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર સુભદ્રાએ શહેર જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે તેણે ભગવાન જગન્નાથને આ વાત કહી તો તેમણે પોતાની બહેનની આ ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કર્યો. આ પછી ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર બેસીને શહેરની યાત્રાએ નીકળ્યા. કહેવાય છે કે નગર ચર્યા દરમિયાન તેઓ ગુંડીચામાં તેમની માસીના ઘરે પણ ગયા હતા અને અહીં 7 દિવસ આરામ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી જગન્નાથની યાત્રા કાઢવાની પરંપરા ચાલી રહી છે. નારદ અને બ્રહ્મા પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે.

અંબાલાલ પટેલની વધુ એક આગાહી;આ વર્ષે દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે કેવું રહેશે ચોમાસું?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More