Home> India
Advertisement
Prev
Next

ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો

કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો

ઓપરેશન સફેદ સાગર: બર્ફિલા પર્વતોમાં છૂપાયેલા દુશ્મનો પર વાયુસેનાએ કર્યો હુમલો

નવી દિલ્હી: કારગિલ યુદ્ધને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યાં છે. કારગિલના ઊંચા પહાડો પર પાકિસ્તાનની સેનાએ કબ્જો જમાવ્યો હતો. તેને મુક્ત કરાવવા માટે 25 મે, 1999 ના રોજ ભારતીય વાયુસેનાને આક્રમણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણાયક પગલાની સાથે જ દુશ્મનના અંતની શરૂઆત થઇ હતી. આદેશ મળ્યાના બીજા દિવસે વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગરના નામથી કારગિલમાં દુશ્મનોની પોઝીશન અને સપ્લાય લાઇન પર હુમલો કર્યો હતો.

વધુમાં વાંચો: ગત 2 ચૂંટણી કરતા આ વખતે લોકસભામાં અપરાધી ઉમેદવારોની સંખ્યામાં વધારો

વાયુસેનાએ પહેલો હુમલો 26 મે, 1999ની સવારે 6:30 વાગે શરૂ કર્યો હતો. આ હુમલાના મિગ-21, મિગ-27 એમએલ અને મિગ-23બીએન લડાકૂ વિમાનોએ અંજામ આપ્યો હતો. આ ઘટનાના 20 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ તસવીરોના માધ્યમથી આ ઓપરેશનની તસવીરો પ્રથમ વખત દુનિયાની સામે મુકી છે. હુમલાના સમયે મિગ-29ના લડાકૂ વિમાનોને કવર આપવાની સાથે એર ડિફેન્સનું કામ કર્યું હતું. હુમલા બાદ કેનબેરાએ દુશ્મનના નુકસાનની રેકી પણ કરી હતી.

‘કારગિલ પ્લાન બનાવનારે વિચાર્યું કે ભારત જવાબ આપશે નહીં’
ઉલ્લેખનીય છે કે, કારગિલ યુદ્ધના રહસ્યોને ઉદ્ધાટિત કરનારી ઘણી પુસ્તકો પ્રકાશિત થઇ છે. આ કડીમાં જો કે, એક પાકિસ્તાની લેખિકાની પુસ્તક પ્રકાશિત થઇ હતી. આ પુસ્તકમાં કહેવામાં આવ્યું હતું કે, કારગિલ યુદ્ધની યોજના બનાવનારે આ વિચારીને મોટી ભુલ કરી કે ભારત જવા આપશે નહીં. પરંતુ એવું થયું નહીં અને ભારતે જબરદસ્ત જવાબ આપ્યો તથા આ કારણે પાકિસ્તાની સેના દ્વારા ઘણાં લોકો માર્યા ગયા હતા. ‘ફ્રોમ કરગિલ ટૂ ધ કૂ: ઇવેન્ટ્સ ધેટ શૂક પાકિસ્તાન’ પુસ્તકની લેખિકા નસીમ ઝેહરાએ તેમની પુસ્તકમાં આ દાવો કર્યો હતો.

વધુમાં વાંચો: હું જાણું છું કે આગામી દિવસો વધુ મુશ્કેલ આવવાના છે, કોંગ્રેસ દરેક પડકારને પાર કરશેઃ સોનિયા ગાંધી

તેમણે કેટલાક જનરલોની ભૂમિકા વિશે વિસ્તારમાં ચર્ચા કરી, જેમણે ઓક્ટોબર/નવેમ્બર 1998માં કારગિલ ઓપરેશનની યોજના બનાવી હતી. ભારતની સામે 1999ના કારગિલ યુદ્ધ બનાવનાર કેટલાક પાકિસ્તાની જનરલોને તાત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફની પ્રશંસા કરતા કહ્યું કે, તેઓ આ ઓપરેશનને અંજામ આપવા માટે તેમના પૂર્વાધિકારીઓ કરતા ઘણા વધારે સાહસી હતા.

કારગિલ યુદ્ધની યોજના માટે જનરલ મુશર્રફ અને ત્રણ અન્ય જનરલોની વાતચીતનો ઉલ્લેખ કરતા ઝેહરાએ કહ્યું કે, ‘જો કારગિલ ઓપરેશન એટલું સરળ હોત તો આ પહેલા કેમ કરવામાં આવ્યું નહીં? એક જનરલે જવાબ આપ્યો છે કે, તમારાથી (મુસર્રફ) વધારે કોઇ પણ જનરલ સાહસી ન હતા અને માત્ર તમે (મુશર્રફ) જ તેને અંજામ આપી શક્યા.’ ત્રણ જનરલોએ એવું પણ કહ્યું કે, આ ઓપરેશનમાં તેમણે તેમના જીવને જોખમમાં મૂક્યો હતો.

વધુમાં વાંચો: દિલ્હીમાં અરાજક તત્વો બેકાબું, ભર બજારમાં 20 રાઉન્ડ ફાયરિંગ, 1નું મોત

તેમણે કહ્યું કે, મે 1999 સુધી ભારતને કારગિલ યોજનાની કોઇ જાણકારી ન હતી. તેમણે (જનરલો) એ મહત્વપૂર્ણ અધિકારીને જણાવ્યા વગર સૈનિકોને આગળ મોકલી દીધા. જ્યારે કારગિલ સંઘર્ષ થયું ત્યારે મારા જેવા પત્રકારોએ આ વાત પર વિશ્વાસ કર્યો કે, આ મુઝાહિદીનનું કામ છે. ઝહેરાએ કહ્યું કે, અસૈન્ય સરકાર અને ગુપ્ત એજન્સીઓ સહિત અન્ય સંસ્થાઓ તથા એર ફોર્સ પ્રમુખને કારગિલ ઓપરેશન વિશે અંધારામાં રાખવામાં આવ્યા હતા.

નવાદ શરીફ
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવાજ સરીફને કારગિલ ઓપરેશન શરૂ કર્યા પછી જણાવવામાં આવ્યું, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, તમે કાશ્મીરના વિજેતા બની જશો. તેના પર વિદેશ મંત્રીએ હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર બંને દેશો વચ્ચે વાતચીત ચાલું છે. ત્યારે જનરલે કહ્યું કે, તમે વાતચીત દ્વારા કાશ્મીર કઇ રીતે લઇ શકો છો? ઝહેરાએ જણાવ્યું કે જ્યારે રક્ષા સચિવે શરીફને આ જણાવ્યું કે, પાકિસ્તાન નિયંત્રણ રેખા (એલઓસી) ક્રોસ કરી ગયું છે, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, શરીફે ત્યારે ઓપરેશનનું સમર્થ કર્યું કેમકે તે રાષ્ટ્રના હિતમાં હતું. તેમણે કહ્યું કે, ભારતના વડતા પ્રહાર પર શરીફ અમેરીકા રવાના થઇ ગયા, જ્યાં તાત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનને તેમણે કહ્યું કે, તમારે કારગિલથી બહાર નકળવું પડશે.

વધુમાં વાંચો: PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

કારગિલ વિજય દિવસ
26 જુલાઇ દેશમાં કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં આ તારીકે આપણે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતે ઓપરેશન વિજયના નામથી બે લાખ સૈનિકોને તૈનાત કર્યા અને તેમાં 527 ક્યારે પરત ફરી આવ્યા નહીં.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More