Home> India
Advertisement
Prev
Next

આ છે દેશના સૌથી ચર્ચિત માનહાનિ કેસ, જેમાં નેતાઓએ માંગી માફી બચાવી પોતાની ખુરશી

India's most talked Defamation Cases: દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી લીધી હતી.

આ છે દેશના સૌથી ચર્ચિત માનહાનિ કેસ, જેમાં નેતાઓએ માંગી માફી બચાવી પોતાની ખુરશી

India's most talked Defamation Cases: હાલમાં રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલા મનહાનીના કેસની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. ચાર વર્ષ જૂના આ કેસમાં દોશી સાબિત થતા રાહુલ ગાંધીને સજા પણ ફટકારવામાં આવી છે અને તેની સદસ્યતા પણ રદ થઈ ગઈ છે. જો કે દેશમાં આ પહેલો કેસ નથી જેમાં નેતાઓ માનહાનિમાં સંડોવાયા હોય. આ પહેલા પણ દેશમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. પરંતુ ફરક એટલો છે કે આ મામલે નેતાઓએ માફી માંગી અને પોતાની ખુરશી બચાવી લીધી હતી. તો ચાલો તમને જણાવીએ દેશના એવા ચર્ચિત મનહાની કેસ વિશે જેમાં નેતાઓએ પોતાની ખુરશી બચાવવા માટે માફી માંગવી પડી હતી.

આ પણ વાંચો:

રાહુલ ગાંધી નહિ, જાણી લો કોનું કોનું ગયું છે સભ્ય પદ, આવો છે કાયદો

રાહુલ પાસે ફક્ત આ વિકલ્પો: સજા પર સ્ટેથી નહીં ચાલે કામ, વાયનાડ ગુમાવશે કે હવે શું?

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ, માનહાનિ કેસમાં કોર્ટે ફટકારી હતી બે વર્ષની સજા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પૂર્વ નેતા આશુતોષ પર ભાજપના નેતા અરુણ જેટલીએ વર્ષ 2015માં 10 કરોડ રૂપિયાનો માનહની નો કેસ કર્યો હતો. આ કેસના ત્રણ વર્ષ પછી 2018માં અરવિંદ કેજરીવાલે આ કેસ બતાવવા માટે લેખિતમાં માફી માંગી હતી. અન્ય એક મામલે અરવિંદ કેજરીવાલ નીતિન ગડકરી અને કપિલ સિબલની માફી પણ માંગી ચૂક્યા છે.

દિગ્વિજય સિંહ

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને ઉમા ભારતી વચ્ચેનો માનહનીનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. વર્ષ 2003 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉમા ભારતીય આરોપ લગાવ્યો હતો કે દિગ્વિજયસિંહ જ્યારે સીએમ હતા ત્યારે તેમણે 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જોકે આ મામલે પછી તેમણે માફી માંગવી પડી હતી.

અરવિંદ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બે વખત મનહાનિના કેસનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2013માં એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લઈને તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ મામલે શીલા દીક્ષિતના રાજનીતિ સચિવ પવન ખેડાએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ આપરાધિક માનહાનીનો કેસ નોંધાવ્યો હતો. 

આ પણ વાંચો:

શું પીએમ મોદી પણ માનહાનિના કેસમાં ફસાશે? કોંગ્રેસ નેતા કરશે મોદી સામે ફરિયાદ

SC: મોદી સરકાર સામે 14 વિપક્ષી પાર્ટીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી, લગાવ્યા ગંભીર આરોપ

મહિલાઓ નથી જાણતી કે તેમના મિલકત સંબંધિત શું છે અધિકારો? મળે છે આટલા મહત્વના હક્ક

જયલલિતા અને કરુણાનિધિ

તમિલનાડુના પૂર્વ સીએમ જયલલિતા તરફથી ઘણા કેસ નોંધાવવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધુ ચર્ચા એમ કરુણા નિધિ વિરુદ્ધ થયેલા કેસની થઈ હતી. જયલલીતા એ વર્ષ 2012માં કરુણાનિધિ વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો હતો. તેના એક વર્ષ પહેલા જયલલિતાએ ડીએમડીકે નેતા વિજયકાંત વિરુદ્ધ પણ માનહાનીનો કેસ કર્યો હતો.

લાલુ પ્રસાદ યાદવ

વર્ષ 2013 માં આરજેડી પ્રમુખ લાલુ યાદવ વિરોધ જેડીયુ નેતાએ માનહાની નો કેસ નોંધાવ્યો હતો. લાલુ યાદવે 15 મેના રોજ પટનામાં એક રેલીને સંબોધિત કરતા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, સંજયસિંહ અને સંજય ઝાને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે લાલુપ્રસાદ યાદવને માફી માંગવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More