Home> India
Advertisement
Prev
Next

India-China Standoff: બેઠકમાં ભારતે બતાવ્યો દમ, ડ્રેગનને આંખ ફેરવીને કહી દીધુ -'PLA એ હટવું જ પડશે'

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ ((East Ladakh) માં ચાલી રહેલા તણાવ અંગે 9માં તબક્કાની કોર્પ્સ કમાન્ડર બેઠક (Corps Commander Meeting) માં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે ચીની સેના  (People's Liberation Army-PLA) એ તમામ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી પાછા ફરવું પડશે.

India-China Standoff: બેઠકમાં ભારતે બતાવ્યો દમ, ડ્રેગનને આંખ ફેરવીને કહી દીધુ -'PLA એ હટવું જ પડશે'

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ ((East Ladakh) માં ચાલી રહેલા તણાવ અંગે 9માં તબક્કાની કોર્પ્સ કમાન્ડર બેઠક (Corps Commander Meeting) માં ભારતે એકવાર ફરીથી સ્પષ્ટ કરી દીધુ કે ચીની સેના  (People's Liberation Army-PLA) એ તમામ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી પાછા ફરવું પડશે. રવિવારે થયેલી આ બેઠકનો હેતુ બંને દેશો વચ્ચે સંઘર્ષ પર વિરામ લગાવવા સમાધાન કાઢવાનો હતો. આ અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ ચીનના વલણના કારણે કોઈ સાર્થક પરિણામ નીકળ્યું નથી. 

કલાકો સુધી ચાલી બેઠક
મળતી માહિતી મુજબ કોર્પ્સ કમાન્ડર સ્તર(Corps Commander Meeting) ની બેઠક પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન (China) તરફ સ્થિત મોલ્ડોમાં સવારે 10 વાગે શરૂ થઈ અને રાતે અઢી વાગ્યા સુધી ચાલતી રહી. આ દરમિયાન ભારતે (India) કહ્યું કે ઘર્ષણવાળી જગ્યાઓ પર ડિસએન્ગેજમેન્ટ અને ડી-એસ્કેલેશનની પ્રક્રિયાને આગળ વધારવાનું ચીન પર છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ છ નવેમ્બરે થયેલી આઠમા રાઉન્ડની વાતચીતમાં બંને પક્ષોએ ઘર્ષણવાળી જગ્યાઓ પરથી સૈનિકોને પાછળ હટાવવા પર વ્યાપક ચર્ચા થઈ હતી. 

World's Top Tallest Buildings:દુનિયાની સૌથી ઉંચી ઈમારતો, PHOTOS જોઈને પણ આવી જશે ચક્કર

મેનન કરી રહ્યા હતા ભારતનું નેતૃત્વ
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે. ભારત સતત કહેતું આવ્યું છે કે પહાડી વિસ્તારોમાં ઘર્ષણવાળી તમામ જગ્યાઓ પરથી સૈનિકો પાછા બોલાવવાની પ્રક્રિયાને આગળ વધારવા અને તણાવને ઓછો કરવાની જવાબદારી ચીનની છે. કોર કમાન્ડર સ્તરની સાતમા તબક્કાની વાતચીતમાં ચીને પેન્ગોંગ ઝીલના દક્ષિણ તટની આસપાસ વ્યુહાત્મક રીતે મહત્વના ઠેકાણાઓ પરથી ભારતીય સૈનિકોને પાછા હટાવવા પર ભાર મૂક્યો હતો. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ઘર્ષણવાળી તમામ જગ્યાઓથી સૈનિકોની પાછા બોલાવવાની પ્રક્રિયા એક જ સમય પર શરૂ થવી જોઈએ. 

સૌથી વધુ Heart Attack બાથરૂમમાં જ કેમ આવે છે? નથી જાણતા તો વાંચો આ આર્ટિકલ

China નથી ઈચ્છતું વાત બને?
ચીન સાથે વિવાદને જોતા પૂર્વ લદાખમાં ભારતીય સેનાએ લગભગ 50 હજાર જવાનો તૈનાત કરેલા છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ આટલી જ સંખ્યામાં ચીને પણ પોતાના સૈનિકો તૈનાત કરેલા છે. ભારત સતત શાંતિપૂર્ણ રીતે વિવાદ ઉકેલવાની વાત  કહેતું આવ્યું છે. પરંતુ ચીન તરફથી દર વખતે કઈને કઈ એવું થાય છે કે સમાધાનની ગાડી પાટા પરથી ઉતરી જાય છે. ચીન જાણી જોઈને આ મુદ્દાને ઉકેલવાના મૂડમાં જોવા મળતું નથી. 

દેશના તમામ મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More